Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટી 20 વર્લ્ડકપમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના માર્ગદર્શક કેવી રીતે બન્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બુધવારના રોજ ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જ્યારે સચિવ જય શાહે જાહેરાત કરી કે એમએસ ધોની વર્લ્ડ કપ માટે માર્ગદર્શક તરીકે ટીમમાં જોડાશે.

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બુધવારના રોજ ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જ્યારે સચિવ જય શાહે જાહેરાત કરી કે એમએસ ધોની વર્લ્ડ કપ માટે માર્ગદર્શક તરીકે ટીમમાં જોડાશે, ત્યારે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન પ્રકાશમાં આવ્યા હતા. ધોની હવે રવિ શાસ્ત્રી સાથે સંયુક્ત આરબ અમીરાતમાં 17 ઓક્ટોબરથી શરૂ થતા વર્લ્ડ કપમાં નજીકથી કામ કરશે.

મહેન્દ્ર સિંહ ધોની

જય શાહે કહ્યું કે, એમએસ ધોનીએ ભારતીય ટીમમાં યોગદાન આપવા માટે આતુરતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, ધોનીએ ગત વર્ષે જ એક ખેલાડી તરીકેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું હતું. BCCIના સચિવે જણાવ્યું હતું કે, તેમને ખુશ છે કે, ધોની વિરાટ કોહલી અને તેની ટીમ માટે એક મહત્વના કાર્ય માટે મેન્ટર તરીકે UAE આવવા સંમત થયા છે.

જય શાહે એમએસ ધોનીના અનુભવનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. તેમની રુચિ પહેલા ધોની સાથે વાત કરીને શીખી અને પછી જય શાહે કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો સંપર્ક કર્યો હતો, જે આ ઓફર માટે સંમત થયા હતા.

BCCIના સચિવે ત્યારબાદ ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરી હતી. જેમના માટે ટી 20 વર્લ્ડ કપ અંતિમ અસાઇનમેન્ટ હશે. રવિ શાસ્ત્રીએ આ વિચારને આવકારતા કહ્યું કે, તેઓ ધોની સાથે મેન્ટર તરીકે કામ કરીને ખુશ થશે.

ત્યારબાદ શાહ આ પ્રસ્તાવને BCCI પાસે લઈ ગયા અને બુધવારના રોજ બોર્ડે નિમણૂકને સત્તાવાર બનાવતા પહેલા તેમના સાથીઓ સાથે ચર્ચા કરી હતી. વાસ્તવમાં એમએસ ધોનીનો વર્ષ 2007 માં T20 વર્લ્ડ કપ અને વર્ષ 2011 માં વર્લ્ડ કપ સહિત 3 ICC ટ્રોફી જીતવાનો અનુભવ ઉપયોગી થશે. ધોનીના મુખ્ય કોચ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી સાથે સારા સંબંધ છે.

ટીમના વર્તમાન યુવા ખેલાડીઓ પણ ધોનીને ઘણું માન આપે છે. ટી 20 વર્લ્ડ કપ બાદ ભારત નવા મુખ્ય કોચની શોધમાં રહેશે. BCCI અપેક્ષા રાખે છે કે, મુખ્ય ટુર્નામેન્ટ માટે ધોનીને માર્ગદર્શકની ભૂમિકામાં ફરીથી નિયુક્ત કરે. ભારત 2023 વર્લ્ડ કપની યજમાની કરશે. ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને ટીમ પણ ભાગ લેશે.

એમએસ ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે, તેમને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખ્યું છે. ધોની ગત મહિને યુએઈ પહોંચ્યો હતો અને આઈપીએલ ફરી શરૂ કરવા માટે તેના કેટલાક સીએસકે ટીમના સાથીઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X