For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો ઇન્દ્રદેવ પ્રસન્ન થયા તો મેચ રમ્યા વગર જ ઇન્ડિયા પહોંચી જશે ફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

સિડની, 24 માર્ચ: વિશ્વકપની પહેલી સેમીફાઇનલમાં વરસાદના કારણે મેચને 43 ઓવરની કરવી પડી છે. જ્યારે હવામાન વૈજ્ઞાનિકોની માનીએ તો આવનારી મેચોમાં પણ વરસાદ ખલેલ પહોંચાડી શકે છે. એવામાં ગુરુવારે સિડનીમાં રમાનાર ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. પરંતુ જો આ વખતે આઇસીસીના નિયમો પર એક નજર નાખીએ તો ભારત મેચ રમ્યા વગર જ વિશ્વકપની ફાઇનલમાં પહોંચી શકે છે.

જોકે ભારતની મેચોમાં વરસાદ ખલેલ નાખે છે અને મેચ ના રમાય તો 27 માર્ચ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. પરંતુ વરસાદને કારણે 27 તારીકે પણ જો મેચ ના રમાઇ તો ભારત મેચ રમ્યા વગર જ વિશ્વકપના ફાઇનલ મુકાબલામાં પહોંચી જશે.

team india
જોકે આઇસીસીએ વરસાદને ધ્યાનમાં રાખતા સમસ્યાને પહોંચી વડવા માટે પૂલ મેચોમાં પણ તેનું પૂર્વાયોજન કરી રાખ્યું હતું. જો વરસાદના પગલે કોઇ પણ પરિસ્થિતિમાં મેચ ના થઇ શકતી તો જે પણ ટીમ પૂલ ટેબલમાં ટોપ રહેશે તે ફાઇનલમાં પહોંચી જશે.

એવામાં જો વરસાદના પગલે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેચ ના રમાઇ શકે તો ભારતને સરળતાથી ફાઇનલમાં પ્રવેશ મળી જશે. આપને જણાવી દઇએ કે પૂલ ટેબલમાં ભારત સૌથી ઉપર છે, જેનો તેને લાભ આ પરિસ્થિતિઓમાં મળી શકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પોતાના પૂલમાં બીજા સ્થાન પર હતું. જેનું નુકસાન તેને ભોગવવું પડી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India to enter into final of world cup even without playing the match if it rains, India will get profit of being on the top in the table.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X