જાણો કઈ રીતે એશિયાના સિકંદર બન્યા ધોનીના ધુરંધર?
ભારત 6મી વાર એશિયા કપ નું વિજેતા બન્યું છે. ભારત માટે એશિયા કપ ની જીત ખુબ જ મહત્વ નું છે. કારણકે હવે ટી ટ્વેંટી વલ્ડકપ પણ આવી રહ્યો છે. એશિયા કપ માં સારું પ્રદર્સન કરીને ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ ખુબ જ વધી ગયો છે.
વન ડે ક્રિકેટ અને T-20 ક્રિકેટમાં ખુબ જ તફાવત છે. T-20 વલ્ડ કપ પહેલા દરેક ટીમને ગેમ મુજબ અનુકુળ થવું ખુબ જ જરૂરી છે, અને એશિયા કપમાં ભારતને તે મોકો પણ મળી ગયો અને જીત સાથે તેમનો આત્મવિશ્વાસ ખુબ જ વધી ગયો છે.
તો જુઓ ટીમ ઇન્ડિયાની જીતના 5 મહત્વના કારણો....
શિખર ધવન
એશિયાકપ ની ફાઈનલ મેચ પહેલા શિખર ધવન ખરાબ ફોમમાં હતા. પરંતુ ફાઈનલ મેચમાં તેને વિન્નીંગ રમત રમીને મેન ઓફ ધ મેચ સાબિત થયા. શિખર ધવને ફાઈનલ મેચમાં 44 બોલમાં 60 રન બનાવ્યા.
વિરાટ કોહલી
રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી રમવા આવ્યા અને તેને મેચ માં ખુબ જ સુંદર રીતે એક લાંબી ઇન્નીંગ રમી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની
ધવનના આઉટ થયા બાદ યુવરાજ સિંહ કે સુરેશ રૈના ના સ્થાને મહેન્દ્ર સિંહ ધોની ખુદ રમવા આવ્યા અને તોફાની ઇન્નીંગ રમી હતી.
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. આ યુવા ખિલાડીએ જે રીતે પોતાની રમત દાખવી છે તે પ્રસંશાને પાત્ર છે.
એશિયાના સિકંદર બન્યા ટીમ ઇન્ડિયા
ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ ને 8 વિકેટથી હરાવીને એશિયાકપ પોતાના નામ પર કરી દીધો છે.
જીત બાદ ટીમ ઇન્ડિયાની મસ્તી
જીત બાદ ટીમ ઇન્ડિયાની મસ્તી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો