ટીમ ઇન્ડિયાના નવા કપ્તાન અજિંક્ય રહાણે વિશે 10 ખાસ વાતો
મુંબઇ, 30 જૂન: બાંગ્લાદેશમાં નિરાશાજનક પ્રદર્શન કરીને પાછી આવેલી ટીમ ઇન્ડિયા હવે આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે જઇ રહી છે, પરંતુ ટીમ ઇન્ડિયાના ધુરંધરોથી જાણે નારાજ હોય તેમ બીસીસીઆઇએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે આખી નવી જ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં એ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન પડતા મૂકાયા હતા.
સૌથી મહત્વીની વસ્તુ એ કે આ ટીમનો કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પણ નહીં અને વિરાટ કોહલીને પણ આ ટીમની કપ્તાની સોંપાઇ નથી, પરંતુ આ ટીમને લીડ કરશે અજિંક્ય રહાણે. કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇ બાંગ્લાદેશમાં ટીમ ઇન્ડિયાના પ્રદર્શનથી ખૂબ જ નારાજ હતું જેના પગલે તેણે આ નિર્ણય લીધો.
હવે વાત કરીએ અજિંક્ય રહાણેની, જેને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે...આવો જાણીએ ટીમ ઇન્ડિયાના નવા સુકાની અજિંક્ય રહાણે વિશે આ દસ વાતો...
1
અજિંક્ય રહાણેએ પોતાની પહેલી ઇંટરનેશનલ મેચ વર્ષ 2011માં ઇંગ્લેંડની સામે રમી હતી.
2
રહાણેએ પોતાની પહેલી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાની સામે વર્ષ 2013માં રમી હતી.
3
રહાણેએ 31 ઓગસ્ટ 2011ના રોજ પહેલી ટી20 મેચ રમી હતી.
4
અજિંક્ય રહાણે પોતાના કવર ડ્રાઇવ માટે જાણીતો છે.
5
ધોનીના ગુડ લિસ્ટમાં સામેલ રહાણે પણ તેમની જ જેમ ઘણો કૂલ કહેવામાં આવે છે.
6
મહારાષ્ટ્રના નાનકડા શહેરમાં જન્મેલા રહાણેની પ્રતિભા અને લગન જોઇને પ્રવીણ આમરેએ કોચિંગ આપ્યું હતું.
7
રહાણેએ અત્યાર સુધી 15 ટેસ્ટ મેચ અને 55 વનડે મેચ રમી છે.
8
રહાણેએ ટેસ્ટ મેચોમાં ત્રણ સદી અને 7 અર્ધસદી લગાવી છે
9
રહાણેએ વનડે મેચોમાં બે સદી અને 9 અર્ધસદી લગાવી છે.
10
વર્ષ 2014 ટી20 વિશ્વકપના અભિન્ન અંગ રહી ચૂકેલા રહાણેને 'વન ઓફ ધ રાઇઝિંગ સ્ટાર્સ ઓફ ઇન્ડિયન ક્રિકેટ' કહેવામાં આવે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો