IPL 2024 : હાર્દિક પંડ્યા ઘમંડી હોવાના નિવેદન બાદ ડી વિલિયર્સે સ્પષ્ટતા કરી, જાણો શું કહ્યું?
મુંબઈ ઈન્ડિયન્સને ડુબાડનારા કેપ્ટન હાર્દિક પંડ્યા પર ઘણા મોટા સ્ટાર ખેલાડીઓ ખફા જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં એબી ડી વિલિયર્સ પણ ખફા થયો હતો.
થોડા દિવસ પહેલા એબી ડી વિલિયર્સે હાર્દિકની કેપ્ટનશીપ પર ટિપ્પણી કરી હતી, જે ચર્ચાનો વિષય બની રહી હતી. હવે ડી વિલિયર્સે એક વીડિયો દ્વારા કહ્યું છે કે તેના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

એબી ડી વિલિયર્સે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ આત્મવિશ્વાસથી ભરેલી છે. તેમણે કહ્યું કે હાર્દિકની કેપ્ટનશીપ અહંકારથી પ્રેરિત છે અને તે પહોળી છાતી સાથે નિર્ણયો લે છે.
હવે ડી વિલિયર્સે કહ્યું કે, હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સને લઈને તેના નિવેદનને વિકૃત કરીને જોવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે, પત્રકારત્વનું સ્તર ઘણું નીચે ગયું છે. ડી વિલિયર્સે કહ્યું કે જો તેને ફરીથી એ જ વાત કહેવી હશે તો તે ચોક્કસ કહીશ.
એબી ડી વિલિયર્સે કહ્યું કે, મેં સ્પષ્ટપણે કહ્યું છે અને ફરીથી કહેતા અચકાઈશ નહીં. મને હાર્દિકની રમવાની રીત અને તેની કેપ્ટનશીપ પસંદ છે. હું એટલું જ કહીશ કે તેણે તેની કેપ્ટનશિપ પર ઘણું કામ કર્યું છે.
એબી ડી વિલિયર્સ હાર્દિક પંડ્યાના સમર્થનમાં આવ્યો અને કહ્યું કે, તે પણ હાર્દિકની સ્ટાઈલમાં રમતો રહ્યો છે. તેના મતે કેટલીકવાર વિરોધી ટીમ પર માનસિક બઢત મેળવવા તમારે બતાવવું પડે છે તમારી સામે જીતવું તેમના માટે સરળ નથી.
આ કારણે હાર્દિક ઈગોને વચ્ચે લાવે છે. ડી વિલિયર્સના મતે આ પ્રકારની સ્ટાઈલ સ્વીકારવી સરળ નથી, ખાસ કરીને સિનિયર ખેલાડીઓ માટે. તેમણે ખોટા સમાચાર ફેલાવનારા પત્રકારોને પણ આડે હાથ લીધા.












Click it and Unblock the Notifications
