IPL Auction 2021: બાંગ્લાદેશી ખેલાડીઓ પર વધુ પૈસા નહિ લગાવે એકેય ટીમ, જાણો કારણ
IPL Auction 2021: બાંગ્લાદેશી ખેલાડીઓ પર વધુ પૈસા નહિ લગાવે એકેય ટીમ, જાણો કારણ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે કુલ 291 ખેલાડીઓની બોલી લાગશે. આઈપીએલ 2021 ઓક્શનમાં સામેલ થઈ રહેલા બાંગ્લાદેશી ક્રિકેટર પર પૈસા લગાવતા પહેલાં કોઈપણ ફ્રેંચાઈઝી ટીમ 10 વખત વિચારશે. જેની અસર શાકિબ અલ હસન, મુસ્તાફિજુર રહમાન જેવા ખેલાડીઓની કિંમત પર પડી શકે છે, જેમને લઈ ક્રિકેટ પંડિતોએ ભવિષ્યવાણી કરી હતી કે આમના પર ફ્રેંચાઈઝી ટીમ દિલ ખોલીને બોલી લગાવશે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તમામ ફ્રેંચાઈઝી ટીમને વિદેશી ક્રિકેટર્સ પર આઈપીએલમાં ઉપલબ્ધતાને લઈને અપડેટ્સ આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બીસીસીઆઈએ તમામ ફ્રેંચાઈઝી ટીમોને જણાવવામાં આવ્યું કે બાંગ્લાદેશી ક્રિકેટર્સ આઈપીએલની આખી સિઝન માટે ઉપલબ્ધ નહિ રહે.

ક્રિકબઝના અહેવાલ મુજબ ઑક્શનની થોડીવાર પહેલાં જ બીસીસીઆઈએ તમામ ટીમને એડવાઈઝરી જાહેર કરી છે. જે મુજબ બાંગ્લાદેશી ક્રિકેટર્સ આખી સિઝનમાં ભાગ નહિ લઈ શકે, જ્યારે દક્ષિણ આફ્રિકી ખેલાડી શરૂઆતી સિઝનમાં બહાર રહી શકે છે કેમ કે એ સમયે પાકિસ્તાન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર લિમિટેડ ઓવર સિરીઝ માટે જઈ રહી છે.
બીસીસીઆઈએ ફ્રેંચાઈઝી ટીમોને જાહેર કરાયેલ એડવાઈઝરીમાં લખ્યું, "કોઈપણ બાંગ્લાદેશી ખેલાડી જે નેશનલ ટીમમાં સિલેક્ટ થાય છે તે 19 મેથી અથવા તે પહેલાં ફ્રેંચાઈઝી ટીમ માટે ઉપલબ્ધ નહિ રહે, જો આઈપીએલ વિંડો દરમ્યાન બાંગ્લાદેશની કોઈ સિરીઝ શેડ્યૂલ હશે તો." જેની અસર શાકિબ જેવા દિગ્ગજ ઓલરાઉન્ડરની કિંમત પર પડી શકે છે, કોઈપણ ફ્રેંચાઈઝી ટીમ બાંગ્લાદેશી ખેલાડીઓ પર વધુ પૈસા લગાવવાથી બચશે.
-
IPL 2026 Full Schedule: IPL 2026 નું સંપૂર્ણ સમયપત્રક જારી, જાણો કુલ કેટલા મુકાબલા રમાશે? -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
