સેન્ચુરી માર્યા પછી પણ રોહિત શર્મા મેદાન પર દુઃખી હતો
ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચમી વનડે મેચ દરમિયાન રોહિત શર્મા ફરી એકવાર ફોર્મમાં પાછો ફર્યો અને ભારત તરફથી તેને શાનદાર સેન્ચુરી ફટકારી.
ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચમી વનડે મેચ દરમિયાન રોહિત શર્મા ફરી એકવાર ફોર્મમાં પાછો ફર્યો અને ભારત તરફથી તેને શાનદાર સેન્ચુરી ફટકારી. હંમેશા જોવા મળે છે કે સેન્ચુરી માર્યા પછી રોહિત શર્મા ખુશીથી જશ્ન મનાવે છે. પરંતુ આ વખતે આવું કઈ પણ જોવા મળ્યું નહીં. બધા જ રોહિત શર્માને જોઈને હેરાન થઇ ગયા હતા.
આખરે રોહિત શર્માએ સેન્ચુરી માર્યા પછી પણ મેદાન પર ખુશી વ્યક્તિ ના કરી તેનો રાઝ ખોલી નાખ્યો છે. રોહિત શર્મા સાથે મેદાનમાં થયેલી ગરબડીને કારણે વિરાટ કોહલી અને રહાણે રન આઉટ થયા હતા. રોહિત શર્મા એ જણાવ્યું કે બે ખેલાડીના આઉટ થયા પછી દબાવ તેમના પર આવી ગયો હતો. આવા સમયમાં હું પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો.
આફ્રિકામાં પહેલીવાર સિરીઝ જીતીને ઇતિહાસ
આફ્રિકામાં પહેલીવાર સિરીઝ જીતીને ઇતિહાસ રચનાર ટીમ ઇન્ડિયા ભલે ખુશ હોય પરંતુ રોહિત શર્મા થોડો સમય દુઃખી હતા. રોહિતે મેચ પત્યા પછી જણાવ્યું કે મારાથી બે ખેલાડી રન આઉટ થઇ ગયા હતા એટલા માટે જશ્ન મનાવવાની કોઈ જ વાત ના હતી.
બે ખેલાડી રન આઉટ
બે ખેલાડી રન આઉટ થઇ ગયા પછી હું મારુ ફોકસ કરવા માંગતો હતો જશ્ન મારા દિમાગમાં હતું જ નહીં.
રોહિત શર્માએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
આફ્રિકા વિરુદ્ધ ભારતની કોઈ પણ ફોર્મેટ માં પહેલી સિરીઝ જીત હતી. ઘણા સમયથી આફ્રિકાની પીચ પર ફ્લોપ ચાલી રહેલા રોહિત શર્માએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને 115 રનની શાનદાર ઇંનિંગ રમી. રોહિત શર્માની આફ્રિકામાં આ પહેલી સેન્ચુરી હતી.
ત્રણ મેચમાં આઉટ
રોહિત શર્માએ જણાવ્યું કે હું ખાલી ત્રણ મેચમાં આઉટ થઇ ગયો હતો ત્રણ મેચ પછી આપ કઈ રીતે કહી શકો છો કે હું સારા ફોર્મમાં નથી. તમે એક મેચમાં ખેલાડીને સારા ફોર્મમાં બતાવી દો છો અને કોઈ ત્રણ મેચમાં સારું ના રમે તો તેને ખરાબ ફોર્મમાં બતાવી દો છો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો