ટીમ ઈન્ડિયાથી બહાર થયો રોહિત શર્મા, સુનીલ ગવાસ્કરે ઉઠાવ્યો સવાલ
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ ટીમથી ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માનું નામ બહાર કરી દેવામાં આવ્યું છે. આઈપીએલની વાત કરીએ તો પાછલી બે મેચમાં રોહિત શર્મા ટીમનો ભાગ નથી રહ્યો. જણાવી દઈએ કે રોહિત શર્મા ઘાયલ થયો હોવાના કારણે ટીમથી બહાર છે. બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું કે બીસીસીઆઈની મેડિકલ ટીમ રોહિત શર્મા અને ઈશાંત શર્માની સ્થિતિ પર નજર રાખશે. પરંતુ આ દરમ્યન મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એક ટ્વીટ કર્યું જેમાં જોવા મળી શકાય છે કે રોહિત શર્મા નેટ્સ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ ટ્વીટ બાદ રોહિત શર્માની ઈંતેજારીને લઈ સવાલ ઉભો થયો છે.
મુંબઈ ઈન્ડિયન્સના ટ્વીટ બાદ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે આ સમગ્ર મામલે લોકોને જાણકારી હોવી જોઈએ. કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચ બાદ ગાવસ્કરે કહ્યું કે અમે ટેસ્ટ મેચની વાત કરી રહ્યા છીએ, જે દોઢ મહિના બાદ થશે. રોહિત નેટ્સ પર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પ્રેક્ટિસ કરી રહ્યો છે, એવામાં મને સમજમાં નથી આવી રહ્યું કે આ કેવા પ્રકારની ઈજા છે. મને લાગે છે કે થોડી પારદર્શિતા હોવી જોઈએ, રોહિતની શું સમસ્યા છે તે લોકોને ખબર હવી જોઈએ, આનાથી સૌકોઈને સકુન મળશે.
અમેરિકામાં ફરી તેજીથી વધવા લાગ્યા કોરોાન સંક્રમણના મામલા, એક્સપર્ટની ચિંતા વધી
એટલું જ નહિ જેવી રીતે મયંક અગ્રવાલને ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે. જણાવી દઈએ કે પાછલી બે મેચમાં પંજાબની ટીમે તેમને ટીમમાં જગ્યા નથી આપી. એવામાં ગાવસ્કરે કહ્યું કે મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ રોહિત અને ઈશાંતને ટીમથી બહાર રાખવામાં આવ્યો છે, એવામાં ફેન્સને જાણવાનો પૂરો હક છે કે તેમના બે ખેલાડીઓનું શું થયું.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો