સૌરાષ્ટ્રના વિકેટકીપર અવિ બારોટનુ માત્ર 29 વર્ષની વયે હ્રદયરોગના હુમલાથી નિધન, ક્રિકેટ જગત શોકમાં
ભારતના પૂર્વ અંડર-19 કેપ્ટન અને સૌરાષ્ટ્રના ક્રિકેટર અવિ બારોટનુ શુક્રવારે હ્રદયરોગનો હુમલો આવવાના કારણે નિધન થઈ ગયુ છે.
નવી દિલ્લીઃ ભારતના પૂર્વ અંડર-19 કેપ્ટન અને સૌરાષ્ટ્રના ક્રિકેટર અવિ બારોટનુ શુક્રવારે હ્રદયરોગનો હુમલો આવવાના કારણે નિધન થઈ ગયુ છે. તેઓ માત્ર 29 વર્ષના હતા. અવિએ 38 પ્રથમ શ્રેણી મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ઘરેલુ ટી20 મેચ રમી હતી. તેઓ સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટ્સમેન હતા. જમોડી બેટ્સમેને 21 રણજી ટ્રૉફી મેચ, 17 એ લિસ્ટ મેચ અને 11 ઘરેલુ ટી20 મેચ રમી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક નિવેદનમાં કહ્યુ, 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દરેક જણ કોઈ ક્રિકેટર અવિ બારોટના ખૂબ જ ચોંકાવનારા, અસામયિક અને ખૂબ દુઃખદ નિધન પર હેરાન અને દુઃખી છે. તેઓ ગંભીર હાર્ટ એટેકના કારણે 15 ઓક્ટોબર, 2021ની સાંજે સ્વર્ગ માટે જતા રહ્યા. તેઓ 29 વર્ષના હતા.' સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન(એસસીએ)ના અધ્યક્ષ જયેદવ શાહે વ્યક્ત કર્યુ, 'અવીના દુઃખદ નિધન વિશે સમાચાર મળ્યા, આ ખૂબ ચોંકાવનારા અને દર્દનાક છે. તે મહાન ટીમના સાથી હતા અને તેમની પાસે મહાન ક્રિકેટ કૌશલ હતુ.'
તેમણે કહ્યુ, 'હાલની બધી ઘરેલુ મેચોમાં તેમણે ઉલ્લેખનીય રીતે સારુ પ્રદર્શન કર્યુ હતુ. તેઓ ખૂબ મિલનસાર અને નેક વ્યક્તિ હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં અમે સહુ ઉંડા શોકમાં છીએ.' એસસીએના એક નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ, 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સહુ કોઈ અવિ બારોટના દુઃખદ નિધન પર પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તે તેમની મહાન આત્માને શાંતિ પ્રદાન કરે અને અવિના પરિવાર, દોસ્તો અને બધા પ્રિયજનોને આ સહનીય નુકશાનને સહન કરવા માટે પર્યાપ્ત શક્તિ પ્રદાન કરે.' અવિ બારોટ સૌરાષ્ટ્ર ટીમનો હિસ્સો હતા જેણે ગયા વર્ષે માર્ચમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બંગાળ સામે કડક મુકાબલા બાદ રણજી ટ્રૉફી 2019-20નો ખિતાબ જીત્યો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો