BCCIના અધ્યક્ષ બનતા પહેલા ગાંગુલીએ કોહલીને ચેતવણી આપી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બનવા માટે તૈયાર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાના પદ ગ્રહણથી પહેલા જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ચેતવણી આપી દીધી છે. સંભવિત બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મુંબઈમાં નામાંકન દાખલ કર્યા બાદ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે આગામી સમયમાં ભારતીય ક્રિકેટમાં મોટા બદલાવ થશે અને આ આ અંતર્ગત જ તેઓ ઈચ્છે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ આગામી સમયમાં મોટા આઈસીસી ટૂર્નામેન્ટમાં જીત હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે. સૌરભ ગાંગુલીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે દ્વિપક્ષીય સીરિઝમાં દમ દેખાડનાર કેપ્ટન વિરાટ કોહલીએ આ દિશામાં ગંભીરતાથી વિચારવું પડશે.

પહેલાની અપેક્ષાએ ટીમ વધુ સારી છે
સૌરભ ગાંગુલીએ કહ્યું કે આજની ટીમ તેમના સમયની ટીમથી ઘણી સારી છે કેમ કે સમયની સાથે ટીમ માનસિક રૂપે તાકાતવર થઈ છે. સીએબી પ્રમુખ તરીકે, 'હાલ પ્રતિભાની કોઈ કમી નથી. આપણે વિશ્વકપ સેમી ફાઈનલ સુધી પહોંચ્યા પરંતુ ખિતાબ સુધી ન પહોંચી શક્યા. વિરાટ કોહલીએ આ દિશામાં ગંભીરતાથી વિચારવું પડશે, અને આ કામ બોર્ડ રૂમમાં ન થઈ શકે.'

અવસરનો તક ઉઠાવવામાં નાકામ રહી વિરાટ સેના
સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 'આપણે હવે મોટા મોટા ટૂર્નામેન્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હું જાણું છું કે તમે લોકો દરેક ટૂર્નામેન્ટ ન જીતી શકો પરંતુ આ પણ હકિકત છે કે આ લોકોએ કેટલાય ટૂર્નામેન્ટમાં નાકામી ઝેલવી પડી છે.' સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 'આ એક મોટી જવાબદારી છે. ઉમ્મીદ છે કે તેઓ સારું કામ કરી શકશે. તેમની પ્રાથમિકતા પ્રથમ શ્રેણી ક્રિકેટથી હશે. પ્રથમ શ્રેણીનું ક્રિકેટ અતિ મહત્વપૂર્ણ છે, કેમ કે આ ભારતીય ક્રિકેટનો આધાર છે. આપણે માત્ર શીર્ષ સ્થાન પર ધ્યાન આપતા આવ્યા છીએ.'

આખરી આઈસીસી ટૂર્નામેન્ટ 2013માં જીત્યો હતો
અગાઉ સૌરભ ગાંગુલીએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ભારતની શાન છે. તેઓ કોઈપણ પ્રકારના દબાણ વિના કામ કરશે અને ક્રિકેટની સોચનો ઉપયોગ કરશે. આગલા વર્ષે ટી20 વર્લ્ડ કપ છે અને હું કોહલીને ખુલ્લીને રમવા માટે કહીશ. ભારતે પોતાનો આખરી આઈસીસી ટૂર્નામેન્ટ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2013માં જીત્યો હતો. ઈંગ્લેન્ડમાં ભારતે 50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી ફિતાબ પોતાના નામે કર્યો હતો. કોહલીની કપ્તાનીમાં ભારત આ વર્ષે ઈંગ્લેન્ડમાં આયોજિત આઈસીસી વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચ્યું અને હારી ગયું.
ભાજપમાં શામેલ થવાની અટકળોને સૌરવ ગાંગુલીએ ફગાવી, ‘રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો નથી'
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો