યુવીની વાપસીથી ગાંગુલી ખુશ, જાણો શું કહ્યુ
યુવરાજ સિંહે ત્રણ વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2013 ના રોજ સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ વનડે રમી હતી...
15 જાન્યુઆરીથી ઇંગ્લેંડ સામે પૂનામાં શરુ થનારી એક દિવસીય સીરિઝ માટે આ વખતે યુવરાજ સિંહની પસંદગી કરવામાં આવી છે. પૂરા ત્રણ વર્ષ બાદ ટીમ ઇંડિયામાં વાપસી કરનાર યુવરાજની પસંદગીને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સંપૂર્ણપણે યોગ્ય ઠેરવી છે. પોતાની ખુશી વ્યક્ત કરતા સૌરવે કહ્યુ કે એ સારી વાત છે કે યુવરાજને બંને ફોર્મેટમાં જગ્યા મળી છે. હું આશા રાખુ છુ કે તે લોકોને નિરાશ નહિ કરે.
ખાસ વાતો:
• યુવરાજ સિંહે ત્રણ વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2013 ના રોજ સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ વનડે રમી હતી.
• 27 માર્ચ 2016 માં તેણે મોહાલીમાં ટી-20 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી પરંતુ ત્યારબાદ તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો.
• ત્યારબાદ પણ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યુ હતુ. તેણે રણજી સત્રમાં પંજાબ તરફથી 5 મેચોમાં 672 રન બનાવીને પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો