ભારતીય ટીમને ઓછી ના આંકવી જોઈએ, દિગ્ગજ ક્રિકેટરે ઈંગ્લેન્ડને ચેતવણી આપી
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડનો પ્રવાસ હજી શરૂ નથી થયો, પરંતુ ઈંગ્લેન્ડ ટીમને આ પ્રવાસની શરૂઆત પહેલાં જ એક ચેતવણી મળી ચૂકી છે. પૂર્વ કેપ્ટને જણાવ્યું કે ભારત વિરુદ્ધ એક ભૂલ ઈંગ્લેન્ડને મોંઘી પડી શકે છે.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પ્રવાસની શરૂઆત પહેલાં ઈંગ્લેન્ડ ટીમને અમુક વાતો કહી છે. હુસૈને ઈંગ્લેન્ડની ટીમને ભારતીય ટીમ સાથે કંઈપણ ના કરવાની ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયામાં 0-1થી પાછળ ચાલી રહ્યું હતું. તે બાદ ભારત પાસે વિરાટ કોહલી જેવા અનુભવી બેટ્સમેન નહોતા અને તેની બોલિંગ કમજોર થઈ રહી હતી. પરંતુ ત્યારે પણ ભારતીય ટીમે શ્રૃંખલા જીતી. માટે કોઈએ પણ ભારતીય ટીમને ઓછી ના આંકવી જોઈએ.
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડે શું ખોટું કરવું જોઈએ શું નહિ તેના પર ટિપ્પણી કરતાં હુસૈને કહ્યું કે, ભારતીય ટીમ મજબૂત છે. માટે ભારતીય ટીમ સાથે મૌખિક રૂપે તેમની સાથે દુર્વ્યવહાર ના કરો. કેમ કે ભારતીય ટીમ માનસિક રૂપે આ બધાથી નિપટવામાં સક્ષમ છે. ભારતીય ટીમ હંમેશા ટેસ્ટ મેચમાં હાવી રહી છે. માટે ઈંગ્લેન્ડની ટીમે ભારત વિરુદ્ધ આ ભૂલ ના કરવી જોઈએ, કેમ કે તે તેમને મોંઘી પડી શકે છે.
જ્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને કહ્યું કે, ભારતમાં બેટિંગ કરવી સહેલું કામ નથી. જો ટીમમાં ભારતીય અનુભવ વાળો કોઈ કેલાડી છે, તો મને લાગે છે કે તેને મોકો આપવો જોઈએ. વૉન હાલ ઈંગ્લેન્ડના અનુભવી વિકેટકીપર બેટ્સમેન જૉની બેયરસ્ટો વિશે કહી રહ્યા હતા. કેમ કે અત્યાર સુદી જૉની મોટાભાગનો સમય ભારતમાં જ રમ્યા છે. તેમને અહીંના માહોલ અને પિચનો સારો અનુભવ છે. પરંતુ ભારત વિરુદ્ધ પહેલી બે ટેસ્ટ માટે જૉનીને ઈંગ્લેન્ડ ટીમથી બહાર રાખવામાં આવ્યો છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો