VIDEO : ચીટર ચીટરના નારાથી ગુંજી ઉઠ્યું આખું સ્ટેડિયમ, દર્શકોએ કર્યું પંતનું સમર્થન
IPL 2022 ની 34 મી મેચમાં એક નવા વિવાદને જન્મ આપ્યો હતો. જે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થયો હતો. છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે 36 રનની જરૂર હતી.
નવી દિલ્હી : IPL 2022 ની 34 મી મેચમાં એક નવા વિવાદને જન્મ આપ્યો હતો. જે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થયો હતો. છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે 36 રનની જરૂર હતી. બેટ્સમેન રેવમેન પોવેલે પ્રથમ બે બોલમાં સિક્સર ફટકારીને રોમાંચમાં વધારો કર્યો હતો. બોલર ઓબેડ મેકકોયે ત્રીજો બોલ ફુલ ટોસ નાખ્યો, જેના પર પોવેલે સિક્સર ફટકારી હતી. જોકે, આ બોલ નો બોલ હતો, જે બેટ્સમેનની કમરથી ઉપર જતો હતો.
જ્યારે અમ્પાયરે નો બોલ ન આપ્યો ત્યારે ડગઆઉટમાં બેઠેલા દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ગુસ્સો વ્યક્ત કર્યો અને બેટ્સમેનોને મેદાન છોડી જવા જણાવ્યું હતું. જોકે, પંતના આ વલણથી ઘણા દિગ્ગજો નારાજ છે, પરંતુ તે સમયે પરિસ્થિતિ આવી હતી.

આખા સ્ટેડિયમમાં ચીટર-ચીટરના નારા ગુંજી ઉઠ્યા
ઋષભ પંત સહિત દિલ્હીની આખી ટીમ નો બોલની તપાસ કરવાની માગ કરી રહી હતી, પરંતુ થર્ડ અમ્પાયર પણ જાગ્યા ન હતા. આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરે પણઅમ્પાયરો સાથે વાત કરવા મેદાનમાં ગયા હતા, જેના કારણે રમત ઠપ્પ થઈ ગઈ હતી.
આવા સમયે, અમ્પાયરના નિર્ણયથી આખું સ્ટેડિયમ નારાજ હતું. હવે સોશિયલમીડિયા પર ચાહકો ગ્રાઉન્ડ અમ્પાયરના ખરાબ નિર્ણયની નિંદા કરી રહ્યા છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાંસ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ચીટર-ચીટરના નારા લગાવતા જોવા મળે છે.
|
થઈ રહી છે ટીકા
દિલ્હીની ટીમ આ મેચ 15 રનથી હારી ગઈ હતી. જો તે નો-બોલ હોત, તો પરિણામ અલગ હોત કારણ કે, પોવેલ ખૂબ જ વિસ્ફોટક રીતે રમી રહ્યો હતો, પરંતુ વિવાદનેકારણે તેનો પ્રવાહ તૂટી ગયો હતો, જેના કારણે તે છેલ્લા ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકારી શક્યો ન હતો.
જો નો બોલ મળ્યો હોત, તો દિલ્હીને જીતવા માટે 4 બોલમાં 17રનની જરૂર હોત, જેનાથી પોવેલને હિટ કરવાનો વધુ આત્મવિશ્વાસ મળ્યો હોત અને બોલર પહેલા કરતા વધુ દબાણમાં હોત.

જો ચેક કર્યો હોત તો નો બોલ હોત
દિલ્હી કેમ્પ માગ કરી રહ્યું હતું કે, બોલ નો બોલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે. તે સ્પષ્ટ હતું કે, બોલ નો બોલ હતો, પરંતુ તેમ છતાં મેદાન પરના અમ્પાયરેતેને તપાસવાનું યોગ્ય ન માન્યું અને ન તો થર્ડ અમ્પાયર દખલ કરવા માંગતા હતા. મેચ બાદ પંતે પણ નારાજગી વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે, થર્ડ અમ્પાયરેદખલ કરવી જોઈતી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અમરેને મેદાન પર મોકલીને મેં ખોટું કર્યું છે, અમારી સાથે જે થયું તે પણ યોગ્ય નથી. ખેર હવે બીસીસીઆઈઅમ્પાયરોને યોગ્ય નિર્ણય લેવા માટે કેવી રીતે રાજી કરે છે, તે જોવાનું રહે છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
