જાણો કેમ અનિલ કુંબલે બન્યા ટીમ ઇન્ડિયાના કોચ...
ટીમ ઇન્ડિયા ને 16 વર્ષ બાદ ફરી એક વાર ભારતીય કોચ મળ્યા છે. કપિલ દેવ બાદ અનિલ કુંબલે ટીમ ઇન્ડિયાના ભારતીય કોચ બન્યા છે. ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે ટોટલ 56 લોકોએ આવેદન કર્યું હતું તેમાંથી અનિલ કુંબલે ની પસંદગી કરવામાં આવી.
બીસીસીઆઈ ના સેકેટરી અજય સીંકે ના જણાવ્યા મુજબ આ વખતે ઘણા ઇનપુટ હજારો લોકોનો અભિપ્રાય અને ઘણી ચર્ચા વિચારણા બાદ અનિલ કુંબલે ને કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ ટીમના કોચ માટે ઘણા નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને ઘણી ચર્ચા બાદ અનિલ કુંબલેને કોચ પદ આપવામાં આવ્યું.
તો જાણો કેટલીક વાતો જે અનિલ કુંબલે ના હકમાં રહી તેમને ટીમ ઇન્ડિયા ના કોચ બનાવવા માટે....
અનિલ કુંબલે
અનિલ કુંબલે મીડિયાને બદલે ટીમના ખેલાડીઓ વચ્ચે પોતાનો અભિપ્રાય આપવાવાળા વ્યક્તિ છે.
અનિલ કુંબલે
અનિલ કુંબલે બોલે છે ઓછું અને વધારે કામ કરવાવાળા વ્યક્તિ છે.
અનિલ કુંબલે
અનિલ કુંબલે એ ક્રિકેટ છોડ્યે પણ વધારે સમય નથી થયો. તેમને વર્ષ 2008માં ક્રિકેટથી સન્યાસ લીધો હતો.
અનિલ કુંબલે
અનિલ કુંબલે યંગ છે અને ટીમ ઇન્ડિયાના હાલના ખેલાડીઓ સાથે પણ રમી ચુક્યા છે.
અનિલ કુંબલે
ખેલાડી તરીકે પણ તેમને ટીમ ઇન્ડિયા માટે ઘણી સફળતા મેળવી છે.
અનિલ કુંબલે
અનિલ કુંબલે એક મહાન સ્પિનર પણ રહી ચુક્યા છે. તેમને 900 કરતા પણ વધારે વિકેટ લીધી છે.
અનિલ કુંબલે
ટીમ ઇન્ડિયાના સ્પિનરને સારું માર્ગદર્શન આપવામાં મદદ કરી શકે છે.
અનિલ કુંબલે
અનિલ કુંબલેનું નામ કોઈ પણ વિવાદમાં જોડાયું નથી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો