ખુલાસો: એક સમયે રવિન્દ્ર જાડેજા ક્રિકેટને છોડી દેવા માંગતા હતા
ટીમ ઇન્ડિયા ના સર અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ના ખુબ જ પ્રિય પ્લેયર એવા રવિન્દ્ર જાડેજા ને આજે આખી દુનિયા ઓળખે છે. ઘણા વિવાદોમાં ઘેરાયેલા એવા રવિન્દ્ર જાડેજા એ પોતાના કરિયરને લઈને એક ચોકાવી નાખે તેવો ખુલાસો કર્યો છે.
રવિન્દ્ર જાડેજા એ કહ્યું કે આજે ક્રિકેટ જ તેની સચ્ચી ઓળખ છે. જયારે પણ હું ટીમ ઇન્ડિયાની જર્સી પહેરું છુ ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી સમજુ છુ. પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જયારે મેં ક્રિકેટ ને છોડી દેવાનું મન બનાવી દીધું હતું.
રવિન્દ્ર જાડેજા એ કહ્યું કે આ વાત વર્ષ 2005 ની છે. જયારે તમની માં નું નિધન થઇ ગયું હતું અને ઘરની હાલત પણ ખરાબ હતી. રવિન્દ્ર જાડેજા તે સમયે ક્રિકેટ પર ધ્યાન આપી શકતા ના હતા અને તેમને ક્રિકેટ ને છોડી દેવાનું મન બનાવી દીધું હતું. રવિન્દ્ર જાડેજા ના મિત્રો અને પરિવારના સમજાવ્યા બાદ તેમને ફરીથી ક્રિકેટ પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું હતું.
રવિન્દ્ર જાડેજા એ વર્ષ 2009માં ટીમ ઇન્ડિયા તરફથી પોતાની પહેલી મેચ રમી અને ત્યારબાદ તેમને પાછા વળીને જોયું નથી. રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયા નો એક મહત્વ નો હિસ્સો બની ચુક્યા છે. રવિન્દ્ર જાડેજા પોતાના કરિયર માં અત્યાર સુધી 16 ટેસ્ટ, 126 વન ડે અને 37 ટી-20 મેચ રમી ચુક્યા છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો