વિકેટનું શું મહત્વ છે તે ધોનીએ સમજાવ્યું: જાડેજા
કોચી, 17 જાન્યુઆરીઃ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની બીજી વનડેમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરનારા મધ્યમક્રમના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે, ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને વિકેટના મહત્વ અંગેની સમજણ આપી હતી. જાડેજાએ કોચી વનડેમાં 37 બોલમાં 61 રન બનાવ્યા હતા અને સાત આવોમાં 12 રન આપી બે વિકેટ મેળવી હતી.
મેચ બાદ જાડેજાએ કહ્યું કે ધોનીએ મને કહ્યું કે, તારે તારા વિકેટનું મહત્વ સમજવું જોઇએ અને ક્રીઝ પર વધારે સમય રોકાવાનો પ્રયત્ન કરવો જોઇએ, મે તેવું જ કર્યું. સૌરાષ્ટ્રના આ બેટ્સમેને કહ્યું કે, અહીં બેટિંગ કરવી સહેલી હતી, બોલ સહેલાયથી બેટ પર આવતા હતા. શરૂઆતમાં અમારા ઓપનર જલદી આઉટ થઇ ગયા હતા જેના કારણે મધ્યમક્રમ પર દબાણ વધી ગયું હતું. પરંતુ અમારા પછીના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું.
જાડેજાના જણાવ્યા પ્રમાણે તે પોતાના પ્રદર્શનથી ખુશ છે અને આગળ પણ તે આ પ્રકારનું પ્રદર્શન કરવા ઇચ્છે છે.