ISL-7: જીતની પટરી પર પરત ફરવા માંગશે ચેન્નઈ એફસી
ગોવાઃ પૂર્વ ચેમ્પિયન ચેન્નઈયન એફસી શુક્રવારે બોમ્બોલિમના જીએમસી સ્ટેડિયમમાં બેંગ્લોર એફસી વિરુદ્ધ રમાનાર મુકાબલાને જીતી હીરો ઈન્ડિયન સુપર લીગની સાતમી સીઝનમાં ફરી એકવાર જીતની પટરી પર ફરવા માંગશે. સીઝનની પોતાની પહેલી મેચમાં જમશેદપુર એફસી વિરુદ્ધ 2-1ની જીત નોંધાવ્યા બાદ કોચ કસાબા લાજલોની ટીમ ચેન્નઈયન કેરલા બ્લાસ્ટર્સ વિરુદ્ધ ગોલરહિત ડ્રો રમી અંક વહેંચવા પડ્યા હતા.
જ્યાં એક તરફ બેંગ્લોરની ટીમ આ સીઝનમાં સતત બે ડ્રો રમી પોતાની પહેલી જીતની તલાશમાં છે, ત્યારે ચેન્નઈયન પાસે આ મેચ જીતી ત્રણ અંક મેળવવાનો મોકો હશે. લાજલોએ ભલે હાલમાં જ ચેન્નઈયન સાથે પોતાના કાર્યકાળની શરૂઆત કરી હોય, પરંતુ આ મેચે પોતાનું મહત્વ નથી ગુમાવ્યું. લાજલોએ કહ્યું, "આ એક સ્પેશિયલ મેચ છે અને આપણા માટે એક ડર્બીની જેમ છે. આ મેચ જીતવા માટે હરેક સંભવ કોશિશ કરશે કેમ કે જો આપણે ત્રણ અંક હાંસલ કરીએ છીએ તો પોઈન્ટ ટેબલમાં આપણી સ્થિતિ મજબૂત કરી શકે છે." ચેન્નઈયનની ડિફેંસ લીગના ઈતિહાસમાં આ વખતે અત્યાર સુધી શાનદાર શરૂઆત કરી છે અને તેમણે પોતાના પહેલા મેચથી અત્યાર સુધી માત્ર એક જ ગોલ ખાધો છે.
બીજી તરફ બેંગ્લોરના કોચ કાર્લેસ કુઆડ્રાર્ટ માટે કેટલીય સમસ્યાઓ છે. તેમની ટીમ આક્રમણ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. બેંગ્લોરે પોતાની પાછલી બે મેચમાં માત્ર 12 શૉટ લીધા છે અને તેમાંથી તેઓએ ત્રણ શૉટને ટાર્ગેટ પર લીધા. તેમના ત્રણ મુખ્ય ખેલાડી સુનીલ છેત્રી, ક્લાઈટન સિલ્વા અને ક્રિસ્ટિયન ઓપ્સેથ અત્યાર સુધી આક્રમણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
કુઆડ્રાર્ટે કહ્યું, ડિફેંસમાં ટીમ ઘણઈ નિરંતરતા જોવા મળી રહી છે. મને લાગે છે કે અમારી પાસે ગોવા વિરુદ્ધ મેચમાં એક ક્ષણ હતી જ્યાં અમને થોડું નુકસાન થયું. જ્યારે બીજી ટીમોએ ગોલ કર્યો. અમે અન્ય ટીમના આક્રમણને નિયંત્રિત કર્યા અને હૈદરાબાદ વિરુદ્ધ પણ એ જ હતું. બંને મેચમાં વિપક્ષી ટીમ મોકો નહોતી બનાવી રહી. તેમણે કહ્યું કે, અમે બધું જાણીએ છીએ કે ક્યાં સુધાર કરવાનો છે અને અમે આના પર કામ કરી રહ્યા છીએ.