28 વર્ષ બાદ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે હાર્યું ભારત
ઇંગ્લેન્ડે પોતાના બીજા દાવમાં ચાર વિકેટ પર 352 રન બનાવ્યા. જેમાં જોનાથન ટ્રોટે 143 અને ઇયાન બેલે 116 રનોનું યોગદાન કર્યું. મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડે પોતાનો દાવ ડિક્લેર કર્યો નહીં અને એમ્પાયરોએ સહસહમતિ સાથે મેચને ડ્રો કરી દીધી.
ઇંગ્લેન્ડના કપ્તાન એલિસ્ટર કૂકને મેન ઓફ ધ સીરીઝ અને મેચમાં ચાર વિકેટ લેનાર બ્રિટિશ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને મેન ઓફ ધ મેચ પુરસ્કાર કરવામાં આવ્યા. ઇંગ્લેન્ડની સામે ભારતની આ સતત બીજી ટેસ્ટ શ્રેણીમાં હાર છે. હાર બાદ ટીમ ઇંન્ડિયાના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમના બેટ્સમેનોને દોષી ઠેરવ્યા, અને જણાવ્યું કે અમારા બેટ્સમેનોએ મોટો સ્કોર નહી બનાવી શકતા અમે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો.
ધોનીએ ઇંગ્લેન્ડની ટીમને જીત માટે શુભેચ્છા પાઠવીને જણાવ્યું કે તેમણે અમને રમતના દરેક પાસામાં માત આપી. અમે અમારી ભૂલોના કારણે હાર્યા. સાથે સાથે તેમણે ટીમમાં મોટાપાયે ફેરફાર કરવાની માગ કરી હતી.