સેહવાગ-ગંભીરના પુનરાગમનને લઇને મોરે ચિંતિત
ચેમ્પિયન્સ ટ્રોફી અને ટ્રાઇ સિરિઝમાં ભારત વિજયમાં તેમની મહત્વની ભૂમિકા રહી. તેમના વખાણ કરતા મોરેએ કહ્યું કે, સેહવાગ અને ગંભીરમાંથી કોઇએક ત્યારે જ પુનરાગમન કરી શકે છે જો તે આગામી ઘરેલું સત્રમાં સતત સારું પ્રદર્શન કરે. તેનાથી ટીમમાં વિકલ્પ વધશે. તેમણે કહ્યું કે, ગંભીર અને સેહવાગને ઘરેલું ક્રિકેટમાં સતત સારું રમશે. તેમણે પોતાના પર ભરોસો રાખવો પડશે. આ સ્વસ્થ પ્રતિસ્પર્ધા છે. હાલના સમયે રમી રહેલા ખેલાડીઓ પણ ખરાબ સમયનો સામનો કરી શકે છે, તેવામાં ટીમમાં તેમના માટે જગ્યા બની શકે છે. તેમણે સારી ભાગીદારી નોંધાવી છે, પરંતુ તેમાનો કોઇ એક અનફીટ હોય તો વિકલ્પ તૈયાર રાખવું પડશે.
આગામી વિશ્વકપમાં હજુ બે વર્ષ બાકી છે, પરંતુ મોરેએ કહ્યું કે, ભારતની ઝડપી બોલિંગ કેટલીક નબળાઇઓમાંથી પાર થવું પડશે. તેમણે કહ્યું કે, આપણે સારા ઝડપી બોલરની જરૂર છે. અધિકાંશ ઝડપી બોલર્સને મોટી ઇજા પહોંચી છે. ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમાર સારી બોલિંગ કરી રહ્યાં છે. આપણે ઝડપી બોલરમાં વધુ વિકલ્પ જોઇએ, જે હાલના સમયે નથી. મોરેએ કહ્યું કે ભારતીય ટીમના કેટલાક યુવાઓ અને અનુભવની જરૂર છે અને ટીમને વિશ્વ કપ 2015ને ધ્યાનમાં રાખીને 25 ખેલાડીઓની યાદી બનાવવી જોઇએ.