શ્રીલંકાની ટીમ ખતરનાક છે, અમારે બચીને રહેવું પડશે : ધોની
ધોનીએ ટ્રેનિંગ સત્ર બાદ પત્રકારોને કહ્યું કે 'શ્રીલંકાની ટીમ ખૂબ જ ખતરનાક છે. અમે માત્ર એક મહેલા જયવર્ધને અને એક કુમાર સંગાકારા પર ધ્યાન નથી કેન્દ્રીત કરી રહ્યા પરંતુ અમે આખી ટીમ અંગે વિચારી રહ્યા છીએ.'
ધોનીએ કહ્યું કે ભારતીય ટીમ પર ચેમ્પિયનશિપ જીતવાનું કોઇ દબાણ નથી. તેમણે કહ્યું કે 'આ ભારતીય મીડિયા છે જેણે આ હાઇપ બનાવી છે અને મને સવાલ કરે છે. જ્યાં સુધી અમારો સંબંધ છે, અમારે ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરવાનું છેં. અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને પોતાને સાબિત કરી રહ્યા છીએ.'
ધોની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ખૂબ જ સજાગતા પૂર્વક પ્રેસ સાથે વાતચીત કરે છે. આઇસીસીની અનિવાર્ય પ્રેસ કોંફ્રેન્સ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડની મીડિયા નીતિઓના કારણે ધોની સાથે વાતચીત કરવાનું મુશ્કેલ થઇ ગયું છે. અત્રે સોફિયા ગાર્ડન્સમાં બીજા સેમીફાઇનલ દરમિયાન વરસાદ મુશ્કેલી ઉભી કરી શકે છે, અને જો એવું થાય છે તો ભારત સરળતાથી ફાઇનલમાં પહોંચી જશે કારણ કે તે તેના ગ્રૂપમાં સૌથી ટોપ પર છે.
શ્રીલંકાઇ ટીમના ગ્રૂપ એમાં ઇંગ્લેન્ડના બરાબર પોઇન્ટ હતા પરંતુ ઓછા નેટ રન ઝડપના કારણે ટીમ બીજા સ્થાન પર રહી. ધોની આ મેચ અંગે વરસાદથી ધોવાઇ જવા અંગે નથી વિચારી રહ્યા અને ભારતી કપ્તાને કહ્યું કે ટીમ એવી જ રીતે રણનીતિ બનાવી રહી છે જેવું તે સામાન્ય રીતે પ્રત્યેક મેચમાં પહેલા બનાવે છે.