આ ખેલાડી વન ડેમાં ભારતનો નવો વાઇસ કેપ્ટન હશે, BCCI ટૂંક સમયમાં જાહેરાત કરી શકે!
ICC T20 વર્લ્ડ કપ 2021ની સમાપ્તિ બાદ ભારતીય ટીમમાં ઘણો બદલાવ આવ્યો છે. વિરાટ કોહલીએ પહેલા T20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ BCCIએ રોહિત શર્માને જવાબદારી સોંપી હતી.
નવી દિલ્હી : ICC T20 વર્લ્ડ કપ 2021ની સમાપ્તિ બાદ ભારતીય ટીમમાં ઘણો બદલાવ આવ્યો છે. વિરાટ કોહલીએ પહેલા T20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ BCCIએ રોહિત શર્માને જવાબદારી સોંપી હતી. હવે BCCIએ કોહલીને ODI કેપ્ટન પદ પરથી હટાવીને રોહિતને મર્યાદિત ઓવરના કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. રોહિત પ્રથમ ODI, T20 ક્રિકેટનો વાઇસ-કેપ્ટન હતો. હવે તેના કેપ્ટન બનવાની સાથે જ વનડેમાં વાઇસ કેપ્ટનનું પદ ખાલી છે. જો કે ઘણા ખેલાડીઓ તેના દાવેદાર છે, પરંતુ બીસીસીઆઈના એક અધિકારીએ ખુલાસો કર્યો છે કે નવા વાઇસ કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવશે. બીસીસીઆઈ આ અંગે ટૂંક સમયમાં જાહેરાત પણ કરી શકે છે.
એવી અટકળો છે કે કેએલ રાહુલ, ઋષભ પંત અને શ્રેયસ અય્યરમાંથી કોઈ એકને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર કેએલ રાહુલને વનડેમાં ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. ઇનસાઇડ સ્પોર્ટ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર, કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા શ્રેણીથી ODI અને T20 બંને ફોર્મેટમાં ટીમનો નિયમિત ઉપ-કેપ્ટન બનાવવામાં આવશે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રાહુલ ભારતીય ટીમનો આગામી ઉપ-કેપ્ટન હશે. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં વાઇસ કેપ્ટન માટે તે પ્રથમ પસંદગી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. રાહુલ પાસે હજુ 6-7 વર્ષનું ક્રિકેટ બાકી છે અને તે આગામી કેપ્ટન તરીકે પણ તૈયાર થઈ શકે છે.
જો રાહુલને વાઈસ-કેપ્ટન જાહેર કરવામાં આવે તો તે ભવિષ્યમાં કેપ્ટનની જવાબદારી પણ સંભાળી શકે છે. રાહુલ પહેલા જ ટી-20નો વાઇસ કેપ્ટન બની ગયો હતો. રોહિત શર્મા પાસેથી 2023 ODI વર્લ્ડમાં ખિતાબની અપેક્ષા છે. ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ છે અને તેના કારણે રાહુલને ઘણું શીખવાની તક મળશે. જો રાહુલ તેના પગલે ચાલશે તો ભવિષ્યમાં તેને મોટી જવાબદારી મળવાની છે. તમને જણાવી દઈએ કે કોહલી હવે માત્ર ટેસ્ટ મેચોમાં જ કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ઉલ્લેખનિય છે કે વિરાટ કોહલીના રાજીનામાં બાદ હવે બીસીસીઆઈ વાઈસ કેપ્ટનના પદ માટે યોગ્ય ખેલાડીની પસંદગી પર વિચાર કરી રહી છે.