ખેડૂતો પર મહેરબાન સરકાર, કૃષિ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયાનુ પેકેજ
લૉકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થા માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડા પેકેજના ત્રીજા હિસ્સાને નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ.
કોરોના વાયરસના કારણે કરવામાં આવેલ લૉકડાઉનના કારણે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે. કોરોના વાયરસ લૉકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થા માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડા પેકેજના ત્રીજા હિસ્સાને નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ મોદીએ 12 માર્ચના રોજ આત્મનિર્ભર ભારત માટે સપ્લાઈ ચેન બનાવવા અને ડેમોગ્રાફીની વાત કરી હતી. આજે આપણે કૃષિ અને તેની સાથે જોડાયેલી ગતિવિધિઓ પર ફોકસ રહેશે.
સીતારમણે કહ્યુ કે ભારતની મોટાભાગની વસ્તી કૃષિ પર આધારિત છે અને આજે આપણે તેને ધ્યાનમાં રાખીને બધી ઘોષણાઓ કરીશુ. નાણામંત્રી સીતારમણે કહ્યુ કે ખેડૂત દેશનુ પેટ ભરવા સાથે નિકાસ કરે છે તેના માટે અનાજ ભંડારણ, કોલ્ડ ચેન અને અન્ય કૃષિ આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ ઉત્પાદક સંઘ, કૃષિ સ્ટાર્ટઅપ વગેરેને પણ આનો લાભ થશે.
નાણામંત્રીએ કહ્યુ કે ખેડૂતોને શોર્ટ ટર્મ જે લોન આપવામાં આવે છે પરંતુ દીર્ઘકાલીન કૃષિને ધ્યાનમાં અત્યાર સુધી રાખવામાં આવતી નહોતી પરંતુ આ પાસાં પર પણ ધ્યાન આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે એક હજાર કરોડ રૂપિયા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપવામાં આવશે જેમાં એગ્રીકલ્ચર કૉપરેટીવ સોસાયટી, કૃષિ પ્રધાન સંસ્થાઓ અને કૃષિ સ્ટાર્ટઅપ માટે ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે પાકની ઉપજ બાદ અનાજ ભંડારણ પર વિશેષ ફોકસ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યુ કે આ ફંડ તરત જ આપવામાં આવશે.
In a move to strenghten infrastructure in agriculture, financing facility of Rs. 1 lakh crore will be provided for funding Agriculture Infrastructure Projects at farm-gate & aggregation points#AatmaNirbharDesh #AatmanirbharBharat pic.twitter.com/I6XsQI6EE9
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 15, 2020
લૉકડાઉન 4માં શરૂ થઈ શકે છે દિલ્લી મેટ્રો, કેન્દ્રની મંજૂરીની રાહ