ખેડૂતો પર મહેરબાન સરકાર, કૃષિ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયાનુ પેકેજ
લૉકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થા માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડા પેકેજના ત્રીજા હિસ્સાને નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ.
કોરોના વાયરસના કારણે કરવામાં આવેલ લૉકડાઉનના કારણે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે. કોરોના વાયરસ લૉકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થા માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડા પેકેજના ત્રીજા હિસ્સાને નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ મોદીએ 12 માર્ચના રોજ આત્મનિર્ભર ભારત માટે સપ્લાઈ ચેન બનાવવા અને ડેમોગ્રાફીની વાત કરી હતી. આજે આપણે કૃષિ અને તેની સાથે જોડાયેલી ગતિવિધિઓ પર ફોકસ રહેશે.

સીતારમણે કહ્યુ કે ભારતની મોટાભાગની વસ્તી કૃષિ પર આધારિત છે અને આજે આપણે તેને ધ્યાનમાં રાખીને બધી ઘોષણાઓ કરીશુ. નાણામંત્રી સીતારમણે કહ્યુ કે ખેડૂત દેશનુ પેટ ભરવા સાથે નિકાસ કરે છે તેના માટે અનાજ ભંડારણ, કોલ્ડ ચેન અને અન્ય કૃષિ આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ ઉત્પાદક સંઘ, કૃષિ સ્ટાર્ટઅપ વગેરેને પણ આનો લાભ થશે.
નાણામંત્રીએ કહ્યુ કે ખેડૂતોને શોર્ટ ટર્મ જે લોન આપવામાં આવે છે પરંતુ દીર્ઘકાલીન કૃષિને ધ્યાનમાં અત્યાર સુધી રાખવામાં આવતી નહોતી પરંતુ આ પાસાં પર પણ ધ્યાન આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે એક હજાર કરોડ રૂપિયા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપવામાં આવશે જેમાં એગ્રીકલ્ચર કૉપરેટીવ સોસાયટી, કૃષિ પ્રધાન સંસ્થાઓ અને કૃષિ સ્ટાર્ટઅપ માટે ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે પાકની ઉપજ બાદ અનાજ ભંડારણ પર વિશેષ ફોકસ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યુ કે આ ફંડ તરત જ આપવામાં આવશે.
In a move to strenghten infrastructure in agriculture, financing facility of Rs. 1 lakh crore will be provided for funding Agriculture Infrastructure Projects at farm-gate & aggregation points#AatmaNirbharDesh #AatmanirbharBharat pic.twitter.com/I6XsQI6EE9
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 15, 2020
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
