Akshaya Tritiya 2021: જાણો સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત
Akshaya Tritiya 2021: જાણો સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત
આજે અક્ષય તૃતિયાનો પર્વ છે, હિન્દુ પૂજા હિસાબે આ દિવસનું ખાસ મહત્વ છે, જેમ કે નામથી સ્પષ્ટ છે કે આ દિવસ જે કંઈપણ કામ થાય છે તેનો ક્ષય નથી હોતો, માટે અક્ષય તૃતીયાના દિવસે બધાં જ શુભ કામ કરાય છે. પુરાણોમાં અક્ષય તૃતીયાના મહત્વનો ઉલ્લેખ વિશેષ રૂપે છે. આ દિવસથી સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ થયો અને હતો અને આ કારણે આ દિવસને પાવન માનવામાં આવે છે. આ દિવસે એક અબૂઝ મુહૂર્ત હોય છે અને આ કારણે આ દિવસે લગ્ન અને ગૃહ પ્રવેશ જેવાં શુભ કાર્યો કરાય છે.

અક્ષય તૃતીયા પર સોનું ખરીદો
આ દિવસે લોકો ખાસ કરીને સોનાની ખરીદી કરે છે કેમ સોનું માત્ર આપણે ત્યાં એક આભૂષણ નથી બલકે મા લક્ષ્મી અને વિષ્ણુજીના આશિર્વાદ માનવામાં આવે છે. માટે હિન્દુ ધર્મને માનતા લોકો આ દિવસે શક્તિ પ્રમાણે સોનાની ખરીદી કરે છે. સૌભાગ્યથી આ વખતે અક્ષય તૃતીયા શુક્રવારે છે, જે મા લક્ષ્મીનો પ્રિય દિવસ છે માટે આ દિવસનું મહત્વ વધી જાય છે.

સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત શું છે?
તૃતીયા તિથિનો પ્રારંભ આમ તો શુક્રવારે સવારે 5.38 વાગ્યે જ થઈ ગયો છે અને અંત 15 મેના રોજ 5 વાગીને 30 મિનિટ પર થશે. આમ તો આખો દિવસ શુભ છે પરંતુ તમે આખા દિવસે કોઈપણ સમયે સોનાની ખરીદી કરી શકો છો, માટે કેટલાક વિશેષ મુહૂર્તમાં જ્યારે સોનું ખરીદવામાં આવે છે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. માનવામાં આવે છે કે તૃતીયાના દિવસે સોનું-ચાંદી ખરીદવાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે.

વિશેષ મુહૂર્ત
- ચોઘડિયા મુહૂર્તઃ 14 મે સવારે 5.34 વાગ્યેથી સવારે 10.33 વાગ્યા સુધી
- અપરાહ્ર મુહૂર્તઃ 14 મે સાંજે 5.21થી સાંજ 7.02 વાગ્યા સુધી
- અપરાહ્ર મુહૂર્તઃ 14 મે બપોરે 12 વાગ્યેથી બપોરે 1.30 વાગ્યા સુધી
- રાત્રિ મુહૂર્તઃ 14 મે રાત્રે 9.32 વાગ્યેથી રાતના 10.50 વાગ્યા સુધી

અક્ષય તૃતીયાના દિવસે આ કામ જરૂર કરો
- અક્ષય તૃતિયાના દિવસે દાન જરૂર કરો
- ગરીબોને ભોજન કરાવો
- ગાયને રોટલી ખવડાવો
- મા લક્ષ્મીની પૂજા કરો
- ઘરમાં શાંતિ બનાવી રાખો, ઝઘડા ના કરો
- સાત્વિક ભોજન કરો અને ઘરવાળાઓને કરાવો
- પિતૃદોષ દૂર કરવા માટે બ્રાહ્મણોને દાન આપો.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
