શું છે ત્રિશા કૃષ્ણનની જ્ઞાતિ અને ધર્મ? થાલાપથી વિજય સાથેની મિત્રતાની કેમ થઈ રહી છે ચર્ચા
સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજય છેલ્લા કેટલાક સમયથી તેમની રાજકીય સફળતા ઉપરાંત ખાનગી જીવન અને ચુસ્ત સંબંધોને કારણે પણ ચર્ચામાં છે. ૨૦૨૬ની તમિલનાડુ ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી જ્યારે તેમના નિવાસસ્થાને સેલિબ્રિટીઝ અને સમર્થકોનો ધસારો જોવા મળ્યો, ત્યારે અભિનેત્રી તૃષા કૃષ્ણનની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
માહિતી અનુસાર, તૃષા કૃષ્ણન પહેલાં તિરુપતિ બાલાજી મંદિરના દર્શનાર્થે ગયાં હતાં અને ત્યાર બાદ થલપતિ વિજયને મળવા તેમના ઘરે પહોંચ્યા હતાં. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર તેમની દોસ્તી અંગે ચર્ચાઓનો દોર તેજ બન્યો. જોકે, વિજય અને તૃષાનો સંબંધ કોઈ નવો નથી; તેમની મૈત્રી વર્ષો જૂની છે, જે અંગે તૃષા જાહેરમાં ઘણી વાર બોલી ચૂક્યા છે.
આ સુપરહિટ જોડીની સફર ૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઘીલ્લી' (Ghilli)થી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં તૃષા કૃષ્ણન અને થલપતિ વિજય પહેલીવાર મોટા પડદે સાથે દેખાયા હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને ત્યાર પછી બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું. ઉલ્લેખનીય છે કે તેમની લગભગ બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

દક્ષિણ ભારતીય સિનેમામાં થલપતિ વિજય અને તૃષા કૃષ્ણનને સૌથી પ્રિય ઓન-સ્ક્રીન જોડીઓમાં ગણવામાં આવે છે. બંનેએ 'થિરુપચી' (Thirupaachi), 'આથી' (Aathi), 'કુરુવી' (Kuruvi) અને 'લિયો' (Leo) જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેણે દર્શકોના દિલ જીતી લીધા છે.
એક જૂના ઇન્ટરવ્યુમાં તૃષા કૃષ્ણને થલપતિ વિજયના શાંત સ્વભાવ વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા હતા. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ફિલ્મના સેટ પર અન્ય કલાકારો અને ક્રૂ મસ્તી કરતા હતા ત્યારે વિજય ઘણીવાર પોતાનામાં મગ્ન રહેતા. તૃષાએ સ્વીકાર્યું કે શરૂઆતમાં તેમની અને વિજયની ખાસ વાતચીત થતી નહોતી, અને તેમના શાંત તથા આંતર્મુખી સ્વભાવને કારણે જોડાવામાં સમય લાગ્યો હતો.
જોકે, 'ઘીલ્લી' ફિલ્મના શૂટિંગ દરમિયાન આખી ટીમ સાથે વિતાવેલા સમયથી તેઓ એકબીજાની નજીક આવ્યા હતા અને ધીમે ધીમે તેમની દોસ્તી મજબૂત બની હતી. તૃષાએ કહ્યું હતું કે થલપતિ વિજય ખૂબ જ પ્રોફેશનલ વ્યક્તિ છે અને તેમણે ક્યારેય તેમને સેટ પર ગુસ્સો ગુમાવતા જોયા નથી.
તૃષા કૃષ્ણન 'તમિળ પલક્કડ ઐયર' (Tamil Palakkad Iyer) બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમનો જન્મ ચેન્નઈ, તમિલનાડુમાં એક હિન્દુ તમિળ ભાષી પરિવારમાં થયો હતો. તેઓ મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ, ખાસ કરીને તમિલ અને તેલુગુ સિનેમામાં કરેલા કામ માટે જાણીતા છે.
પલક્કડ ઐયર એ કેરળમાં વસતા તમિલ ભાષી બ્રાહ્મણોનો એક વિશિષ્ટ સમુદાય છે. આ સમુદાય લગભગ ૪૦૦થી ૫૦૦ વર્ષ પહેલાં તમિલનાડુના તંજાવુર અને આસપાસના વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને પલક્કડ જિલ્લામાં સ્થાયી થયો હતો. તેઓ 'અગ્રહારમ' (પરંપરાગત ગામો)માં રહે છે.
આ સમુદાયના લોકો તેમની ભાષામાં મલયાલમના પ્રભાવને કારણે મિશ્રિત તમિલ બોલે છે, જેને 'તલયાલમ' કહેવાય છે. તેમની માતૃભાષા તમિલ છે, પરંતુ તેના પર મલયાલમની શબ્દાવલિ અને વ્યાકરણનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. તેમની સંસ્કૃતિમાં તમિલ અને મલયાલમ બંનેનો અનન્ય સંગમ દેખાય છે. તેઓ વેદો અને સાત્વિક પરંપરાઓનું પાલન કરે છે.
ધાર્મિક દૃષ્ટિએ, તૃષા કૃષ્ણન હિન્દુ ધર્મનું પાલન કરે છે. તેઓ તમિળ પલક્કડ ઐયર બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે અને ભગવાન વેંકટેશ્વર (તિરુપતિ) ના ભક્ત છે. તૃષા અવારનવાર આધ્યાત્મિક દર્શન માટે તિરુપતિની મુલાકાત લે છે.
તૃષા કૃષ્ણન અનેક પ્રસંગોએ થલપતિ વિજય માટે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે થલપતિ વિજય તેમના કરિયરના સૌથી ખાસ સહ-અભિનેતાઓમાંના એક છે. તેમના મતે, બંનેએ સાથે મળીને ઘણી મોટી હિટ ફિલ્મો આપી છે, જેના કારણે તેમની વચ્ચે હંમેશા એક ગાઢ સંબંધ રહ્યો છે.
તૃષા કૃષ્ણનને થલપતિ વિજયના વખાણ કરતાં જણાવ્યું હતું કે, તેઓ એક એવા વ્યક્તિ છે કે જેને લાંબા સમય સુધી પસંદ કર્યા વિના કોઈ રહી શકતું નથી. વિજયનો શાંત સ્વભાવ અને તેમનો વ્યવસાયિક અભિગમ હંમેશા તેમને પ્રભાવિત કરતો રહ્યો છે.
તમિલનાડુ ચૂંટણીમાં થલપતિ વિજયની જીત પછી, તૃષા કૃષ્ણનના જૂના ઇન્ટરવ્યુ અને નિવેદનો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેમની દોસ્તી અને ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી વિશે સતત ચર્ચા કરી રહ્યા છે, જે તેમની લોકપ્રિયતાનો પુરાવો છે.
જોકે, થલપતિ વિજય અને તૃષા કૃષ્ણન બંનેએ હંમેશા તેમના સંબંધને દોસ્તીનું જ નામ આપ્યું છે. તેઓ અંગત જીવનને લઈને જાહેરમાં વધુ વાતચીત કરવાનું ટાળતા પણ જોવા મળ્યા છે, જેનાથી તેમની ગોપનીયતા જાળવી રાખવાનો તેમનો નિર્ણય સ્પષ્ટ થાય છે.












Click it and Unblock the Notifications
