Chandra Grahan Katha: ચંદ્રગ્રહણને કેમ ખરાબ કહેવાય છે? શું છે આની પાછળની કહાની?
Chandra Grahan Katha: વર્ષ 2023નુ પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવાનુ છે. જો કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ થશે નહીં. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 08:45 વાગે શરૂ થશે અને 6 મેના રોજ સવારે 1.00 વાગે સમાપ્ત થશે.
આમ તો આ એક ખગોળીય ઘટના છે જે દર વર્ષે અવકાશમાં બનતી હોય છે પરંતુ ચંદ્રગ્રહણને વૈદિક ધર્મમાં સારુ માનવામાં આવતુ નથી. અમુક લોકોનુ માનવુ છે કે ગ્રહણ દરમિયાન ચંદ્રનો કાળો અથવા લાલ રંગ અશુભનુ પ્રતીક છે. તેથી આ સમય દરમિયાન શુભ કાર્ય ન કરવુ જોઈએ.

ચંદ્રગ્રહણને લઈને પૌરાણિક કથાઓમાં એક રસપ્રદ વાર્તા સાંભળવા મળે છે. એક દંતકથા અનુસાર, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃતનો કળશ નીકળ્યો, ત્યારે તે અસુરો પાસે પહોંચ્યો, જેને પીવાથી કોઈ પણ અમર બની જાય. દેવતાઓ આનાથી ખૂબ ચિંતિત થયા, તેઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે દોડી ગયા, પછી વિષ્ણુએ અસુરોના ક્રોધથી સૃષ્ટિને બચાવવા માટે એક સુંદર નૃત્યાંગનાનું રૂપ ધારણ કર્યુ અને અસુરોને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને મહાન ચતુરાઈથી અમૃતનો કળશ દેવતાઓ પાસે લઈ ગયા, પણ ત્યાં સુધીમાં રાહુએ અમૃતનુ સેવન કરી લીધુ હતુ.
જ્યારે ચંદ્રને આ વાતની જાણ થઈ ત્યારે તે સીધો વિષ્ણુ પાસે ગયો, ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે રાહુની ગરદન કાપી નાખી પરંતુ અમૃતને કારણે તે ફરી જીવંત થઈ ગયો, પછી ભગવાન વિષ્ણુએ રાહુને ચક્ર વડે બે ભાગમાં વહેંચી દીધો, ઉપરના ભાગને રાહુ અને નીચેના ભાગને કેતુ કહેવાયા અને બંને ધડ એકબીજા સાથે ના જોડાય એ માટે શરીરના બંને ભાગોને જુદી જુદી દિશામાં ફેંકવામાં આવ્યા હતા.
એવુ માનવામાં આવે છે કે આ બધું ચંદ્રને કારણે થયુ, તેથી રાહુ અને કેતુ ચંદ્રને પોતાનો દુશ્મન માને છે અને આ બધુ પૂર્ણિમાના દિવસે થયુ, જે દિવસે ચંદ્ર તેના પૂર્ણ કદમાં હોય છે. ત્યારથી એવુ કહેવાય છે કે ચંદ્રગ્રહણના દિવસે રાહુ-કેતુ તેનો બદલો લઈને તેને ઘેરી લે છે અને તેથી જ ચંદ્રગ્રહણને સારુ માનવામાં આવતુ નથી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
