Dussehra 2022: રાવણના 10 માથા કેમ હતા? જાણો દશાનનનો અર્થ
ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસમાં રાવણના દસ માથાનુ વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યુ છે. અહીં જાણો વિગત.
નવી દિલ્લીઃ અનિષ્ટ પર ભલાઈની જીતનુ પ્રતીક દશેરા 5 ઓક્ટોબરે છે. દેશમાં ઘણી જગ્યાએ રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે. રાવણ એક એવો રાક્ષસ હતો કે જે માયાવી હતો, તેના દસ માથા હતા એટલા માટે તેને દશાનન કહેવામાં આવતો હતો. જો કે, અમુક લોકોનુ માનવુ છે કે રાવણના દસ માથા નહોતા, તે માયાવી હતો અને 65 પ્રકરની કલાઓને જાણતો હતો માટે તે પોતાના દસ માથા લોકોને બતાવીને ભ્રમ પેદા કરતો હતો. જો કે, ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસમાં રાવણના દસ માથાનુ વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યુ છે.

રાવણના દસ માથા દસ બુરાઈના માનક
તમને જણાવી દઈએ કે રાવણના દસ માથા દસ બુરાઈના માનક છે. આ દસ બુરાઈઓ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વાસના, ભ્રષ્ટાચાર, અહંકાર અને અનૈતિકતા. માટે જ જ્યારે રાવણને દશેરાના દિવસે સળગાવવામાં આવે છે ત્યારે તેની સાથે આ દસ બુરાઈઓનો અંત પણ કરવામાં આવે છે.

આખરે રાવણના આ 10 માથા ક્યાંથી આવ્યા?
રાવણના આ દસ માથા ક્યાંથી આવ્યા તે અંગે તુલસીદાસે લખ્યુ છે કે, 'રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. ઘણા વર્ષો સુધી ભગવાન શંકર જ્યારે તેની સામે પ્રગટ ન થયા ત્યારે તેણે નિરાશ અને દુઃખી થઈને પોતાનુ માથુ કાપીને ભગવાન શિવના ચરણમાં રાખી દીધુ પરંતુ તેના ધડમાં ફરીથી માથુ લાગી જતુ હતુ. આવુ તે દસ વાર કરે છે અને દસે વાર તેના ધડમાં માથુ લાગી જાય છે.'

'આજથી તુ દશાનન કહેવાઈશ'
પોતાની સાથે થઈ રહેલ આ ઘટનાથી ખુદ રાવણ પણ ચોંકી જાય છે પરંતુ તેની આ વાતથી શિવ-શંકર ખુશ થાય છે અને તેની સામે પ્રગટ થાય છે અને કહે છે કે,' તે અલગ યોનીમાંથી જન્મ્યો છે અને માટે તેની સાથે આવુ થઈ રહ્યુ છે. આજથી તુ દશાનન એટલે કે દસ મુખવાળો કહેવાઈશ. તારો અંત પણ ત્યારે થશે જ્યારે તારી નાભિ પર કોઈ પ્રહાર કરશે.'

ભાઈ વિભિષણે કર્યો હતો ઈશારો
ભગવાન શિવના આ વરદાનને મેળવીને રાવણના પગ આકાશમાં રહેવા લાગ્યા હતા. તેણે વિચારી લીધુ હતુ તેનેો અંતા ક્યારેય નહિ થાય. યુદ્ધ ભૂમિમાં જ્યારે પ્રભુ રામ તેના પર તીર ચલાવી રહ્યા હતા ત્યારે દસ મુખથી ઘમંડ સાથે તે અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. ત્યારે રાવણના ભાઈ વિભિષણે આવીને પ્રભુ રામને તેની નાભિ પર તારી ચલાવવા માટે ઈશારો કર્યો હતો અને ત્યારબાદ તેનો અંત થયો હતો. માટે કહેવાય છે કે ઘર કા ભેદી લંકા ઢાએ.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
