Jagannath Rath Yatra 2022: રથમાં નથી થતો ધાતુનો ઉપયોગ, પુરીના રાજા કરે છે સોનાની સાવરણીથી માર્ગ સાફ
જગન્નાથ રથયાત્રા 2022ની શરુઆત આ વર્ષે 1 જુલાઈથી થવા જઈ રહી છે. દર વર્ષે આ યાત્રામાં સેંકડો લોકો ભાગ લે છે.
પુરીઃ જગન્નાથ રથયાત્રા 2022ની શરુઆત આ વર્ષે 1 જુલાઈથી થવા જઈ રહી છે. દર વર્ષે આ યાત્રામાં સેંકડો લોકો ભાગ લે છે. તમને જણાવી દઈએ કે પુરીની રથયાત્રા આખા વિશ્વમાં જાણીતી છે અને તેનો હિસ્સો બનવા માટે વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. નોંધનીય છે કે દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે રથયાત્રા શરૂ થાય છે. આ રથયાત્રામાં બલરામજીનો રથ આગળ હોય છે. ત્યારબાદ મધ્યમાં દેવી સુભદ્રાનો રથ અને પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે.

રથમાં કોઈ પ્રકારના ધાતુનો ઉપયોગ નથી થતો
તે જાણીતુ છે કે ભગવાન જે રથ પર સવાર થાય છે તે ખૂબ જ ખાસ હોય છે. ભગવાનજીના ત્રણેય રથમાં કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ બધા રથ લીમડા અને નાળિયેરના પવિત્ર લાકડામાંથી બનાવવામાં આવે છે જેને 'દારૂ' કહેવામાં આવે છે.

'બહુડા યાત્રા'
જેની પસંદગી માટે પુરી મંદિરમાં એક ખાસ અને અલગ કમિટી બનાવવામાં આવી છે. જેનું કામ શુદ્ધ લાકડા શોધવાનુ હોય છે. તમને જણાવી દઈએ કે જ્યારે રથયાત્રા પરત આવે છે ત્યારે તેને 'બહુડા યાત્રા' કહેવામાં આવે છે. રથયાત્રાનુ નિર્માણ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે.

રથ શરીર અને આત્મના પવિત્ર સંબંધને બતાવે છે
રથયાત્રા પ્રેમ, એકતા અને સંવાદિતાનુ ઉદાહરણ છે. એવુ કહેવાય છે કે રથ શરીર અને આત્મા વચ્ચેના પવિત્ર સંબંધનુ પ્રતીક છે. જેમ શરીરની અંદર આત્મા છે પણ તેને ચલાવવા માટે શરીરને કામ કરવુ પડે છે. તેવી જ રીતે ભગવાનને રથની અંદર બેસાડવામાં આવે ત્યારે રથ ચાલતો નથી પરંતુ તેને ખસેડવા માટે તેને ખેંચવો પડે છે. તે જ રીતે વ્યક્તિએ તેના આત્માને શુદ્ધ કરવા માટે શરીર પર સખત મહેનત કરવાની જરૂર છે.

પુરીના રાજા કરે છે સોનાની સાવરણીથી રસ્તો સાફ
જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય ત્યારે તેની વિશેષ પૂજા કરવામાં આવે છે જેને 'છર પહનરા' કહેવામાં આવે છે. આ પૂજા પુરીના ગજપતિ રાજાની પાલખી કરે છે અને પછી પુરીના રાજા સોનાની સાવરણી વડે રથયાત્રાનો માર્ગ સાફ કરે છે અને ત્યારબાદ રથયાત્રા આગળ વધે છે. કહેવાય છે કે રથયાત્રામાં ભાગ લેનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
