Janmashtami 2023: જન્માષ્ટમી મનાવાશે રાત્રિવ્યાપિનીના દિવસે, 6 કે 7 સપ્ટેમ્બર, ક્યારે રાખશો વ્રત?
Janmashtami 2023 Confirm Date: આ વખતે જન્માષ્ટમીને લઈને એવી ચર્ચા છે કે જન્માષ્ટમી બે દિવસ ઉજવાશે. આ અંગે જે મૂંઝવણ સર્જાઈ રહી છે. આ સ્થિતિમાં અમે તમને જણાવીએ કે જન્માષ્ટમીની પૂજાની તારીખ અને યોગ્ય સમય કયો છે.
શ્રી કૃષ્ણ એ વિષ્ણુના આઠમા અવતાર છે, જેમણે બાળપણમાં કાલિયા નાગ જેવા ઝેરી સાપની ફેણ પર નૃત્ય કર્યું હતું, જેમનું બાળપણ અને યુવાની બંને તેમની લીલાઓના કારણે ખૂબ જ લોકપ્રિય છે.

તે પોતાના ભક્તોની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે, જે રીતે તેમણે દ્રૌપદીની લાજ રાખી હતી. તેમણે સેંકડો નિર્દોષ અબળાઓને જરાસંધની ચુંગાલમાંથી છોડાવી હતી. અર્જુનના સારથિ હોવાથી તેને વિજય મળ્યો. ભક્તોના સ્નેહના ભૂખ્યા શ્રી કૃષ્ણને ભક્તિથી જ પ્રસન્ન કરી શકાય છે અને જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અનંત આશીર્વાદ વરસાવે છે.
ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ જન્મેલા નંદલાલના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 6 સપ્ટેમ્બર 2023ના રોજ છે. આવો અમે તમને જણાવીએ કે આ દિવસે યોગ્ય રીતે પૂજા કેવી રીતે કરવી અને કયો શુભ સમય છે.
કહેવાય છે કે કૃષ્ણ જન્મ માત્ર અષ્ટમી તિથિએ જ ઉજવવામાં આવે છે. હવે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે અષ્ટમી તિથિઓ બની રહી છે. એક સૂર્યોદયની અષ્ટમી અને એક રાત્રી વ્યાપિની અષ્ટમી. કૃષ્ણનો જન્મ રાત્રી વ્યાપિની અષ્ટમીના રોજ થયો હતો, તેથી રાત્રી વ્યાપિની અષ્ટમી પર પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે.
અમે તમને રાત્રી વ્યાપિની અષ્ટમીનો શુભ સમય પણ જણાવીએ છીએ. 6 સપ્ટેમ્બર બુધવારના રોજ બપોરે 3.31 કલાકે રાત્રીવ્યાપીની અષ્ટમીનો પ્રારંભ થશે. તેથી આ દિવસે મધ્યરાત્રિએ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવી શુભ રહેશે.
જન્માષ્ટમીની પૂજા વિધિ
- સૂર્યોદય સમયે સ્નાન કરો.
- વૈષ્ણવ વસ્ત્રો પહેરો.
- કૃષ્ણના લડ્ડુ ગોપાલ સ્વરૂપની નાની મૂર્તિ એક ડીટિયાવાળા ખીરા સાથે મૂકો.
- કૃષ્ણનું સ્મરણ કરીને રાધે કૃષ્ણને પીળા ફૂલ ચઢાવો.
- જ્યાં કૃષ્ણની મૂર્તિ રાખવામાં આવે છે તે જગ્યા સારી રીતે શણગારેલી હોવી જોઈએ.
- આખો દિવસ ઉપવાસ કરો, તમે ઇચ્છો તો પાણી પી શકો છો.
- રાત્રે 11 વાગ્યે સ્નાન કરો અને પૂજા, ભજન અને કીર્તનનો પાઠ શરૂ કરો.
- 12 વાગ્યે, ચાંદીના સિક્કાથી ખીરાનુ ડીટીયુ કાપી દો, જે કૃષ્ણના જન્મનું પ્રતીક છે.
- પછી શંખ ફૂંકીને કૃષ્ણનું સ્વાગત કરો.
- ભજન કીર્તન કરો અને પછી પ્રસાદ વહેંચો.












Click it and Unblock the Notifications
