મકર સંક્રાંતિ 2022: આ મકર સંક્રાંતિ પર રાશિ મુજબ કરો વસ્તુઓનુ દાન, આખુ વર્ષ મળશે ખુશીઓ

આ લેખના માધ્યમથી જાણીએ તે વર્ષ 2022માં મકર સંક્રાંતિના દિવસે રાશિ અનુસાર તમને કઈ વસ્તુઓનુ દાન કરવાથી લાભ થઈ શકે છે.

નવી દિલ્લીઃ હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનો પર્વ ખૂબ મહત્વ ધરાવે છે. વર્ષ 2022માં મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી, શુક્રવારના દિવસે મનાવવામાં આવશે. આ દિવસ સાથે ઘણી ઘટનાઓ જોડાયેલી છે. આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ હોય છે. સાથે જ મકર સંક્રાંતિ સાથે જ ખરમાસનો સમય સમાપ્ત થઈ જાય છે અને એક વાર ફરીથી માંગલિક કાર્યોનો શુભારંભ થઈ જાય છે. સંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાનુ પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. માનવામાં આવે છે કે આ દિવસે દાન જેવુ પુણ્યનુ કાર્ય કરીને સૂર્યદેવના વિશેષ આશીર્વાદ મેળવી શકાય છે. આ લેખના માધ્યમથી જાણીએ તે વર્ષ 2022માં મકર સંક્રાંતિના દિવસે રાશિ અનુસાર તમને કઈ વસ્તુઓનુ દાન કરવાથી લાભ થઈ શકે છે.

horoscope

મેષઃ આ રાશિના જાતકોએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવુ. ત્યારબાદ તમે ઉનના અને રેશમી વસ્ત્રો, ખિચડી, મિઠાઈ, તલ, મીઠા ભાત અને દાળ વગેરેનુ સેવન કરી શકો છો.

વૃષભઃ વૃષભ રાશિના જાતકોને સૂર્ય દેવની કૃપા મેળવવા માટે સરસિયાના તેલ, કાળા તલ, કાળા અડદ, અડદની દાળની ખિચડીનુ દાન કરવુ.

મિથુનઃ મિથુન રાશિના જાતકોએ સંક્રાંતિના પ્રસંગે જરુરિયાતમંદ લોકોને કાળા તલ, સરસિયાનુ તેલ, ચણાના લોટના લાડુ, ખિચડી, છત્રીનુ દાન કરવુ જોઈએ.

કર્કઃ કર્ક રાશિના જાતકો પીળા રંગના વસ્ત્ર, ખિચડી, ચણાની દાળ, પીતળના વાસણો, આખી હળદર, ફળ વગેરેનુ દાન કરીને પુણ્ય કમાઈ શકે છે.

સિંહઃ મકર સંક્રાંતિના પ્રસંગે સિંહ રાશિના જાતકો શુભ ફળની પ્રાપ્તિ માટે લાલ રંગનુ વસ્ત્ર, મસૂર દાળ, રેવડી-ચીકી, ખિચડી વગેરેનુ દાન કરી શકે છે.

કન્યાઃ મકર સંક્રાંતિના શુભ અવસર પર કન્યા રાશિના જાતકોએ લીલા વસ્ત્ર, ખિચડી, આખા મગ, મગફળી વગેરે વસ્તુઓનુ દાન કરવુ જોઈએ.

તુલાઃ આ મકર સંક્રાંતિ પર તુલા રાશિના જાતકોએ ગરમ કપડા, ખિચડી, ફળ, સાકર વગેરેનુ દાન કરવુ જોઈએ.

વૃશ્ચિકઃ તમે જરુરિયાતમંદ લોકોને તલ, ગોળ, ખિચડી અને ધાબળા વગેરેનુ દાન કરો. સૂર્ય દેવતાના આશીર્વાદ જરુર મળશે.

ધનઃ ધન રાશિના લોકોને સંક્રાંતિના પ્રસંગે લાલ રંગના વસ્ત્ર, મગફળી, લાલ ચંદન, તલ વગેરેનુ દાન કરવુ જોઈએ.
મકરઃ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટના મકર સંક્રાંતિ કહેવાય છે. આ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ ખાસ હોય છે. તમે આ પ્રસંગે ધાબળા, કપડા, ખિચડી વગેરેનુ દાન કરો.

કુંભઃ કુંભ રાશિના જાતકો મકર સંક્રાંતિના દિવસે ગરમ કપડા, તેલ, ખિચડી વગેરેનુ દાન કરવુ.

મીનઃ આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે ખિચડી, મગફળી, ગોળ, તલ વગેરેનુ દાન કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X