Margashirsha Amas 2022(Dos and Donts): આજે માર્ગશીર્ષ અમાસ, જાણો શું કરવુ અને શું ના કરવુ જોઈએ?
આજે માર્ગશીર્ષ મહિનાની અમાસનો દિવસ છે. આ દિવસે કરેલા કાર્યોથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જાણો આજના દિવસે શું કરવુ અને શું ના કરવુ જોઈએ?
Margashirsha Amas 2022(Dos and Donts): આજે માર્ગશીર્ષ મહિનાની અમાસનો દિવસ છે. આ દિવસે કરેલા કાર્યોથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વળી, આજનો દિવસ પિતૃઓને પ્રસન્ન કરવાનો પણ દિવસ છે. માર્ગશીર્ષ અમાસને અગહન અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરે છે અને કેટલીક જગ્યાએ લોકો બ્રાહ્મણોને ભોજન પણ કરાવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓનુ શ્રાદ્ધ કરવાથી તેમને મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આજે અમાસની તિથિ સવારે 6:53થી શરૂ થઈ છે, જે 24 નવેમ્બરના રોજ સવારે 4:26 કલાકે સમાપ્ત થશે.

જો કે, આ દિવસે ભૂત અને પિશાચ જેવી શક્તિઓ પણ ખૂબ જ સક્રિય હોય છે અને તેના કારણે આજે કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. જો તમારે પિતૃ દોષથી મુક્ત થવુ હોય તો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને જો આ શક્ય ન હોય તો સ્નાન કરતી વખતે તમારી ડોલના પાણીમાં ગંગાજળના બે-ચાર ટીપાં નાખી દો. સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તમારા પૂર્વજોને યાદ કરો, પીપળના ઝાડને જળ ચઢાવો અને દીવો કરો. પીપળના વૃક્ષનુ આ દિવસે ઘણુ મહત્વ છે. આમ કરવાથી વ્યક્તિ પિતૃ દોષથી મુક્ત થઈ જાય છે.
આજના દિવસે શું ન કરવુ
- આજે દારૂ ન પીવો.
- આજે માંસાહારી ખોરાક ન ખાવો.
- આજે ઝઘડવુ નહિ.
- આ દિવસે તકરાર, ચર્ચા કે નિંદાનો ભાગ ન બનો.
- બ્રહ્મચર્યનુ પાલન કરો.
- સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો.
- ગરીબોને દાન કરો.
- બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો.
- પિતૃ કવચનો પાઠ કરો.
- સ્મશાનમાં ન જશો.
- તુલસી પાસે દીવો જરૂર કરો.
આ મંત્રોનો જાપ કરો, નહિ થાય ધનની કમી
ॐ पितृगणाय विद्महे जगत धारिणी धीमहि तन्नो पितृो प्रचोदयात्।
ॐ आद्य-भूताय विद्महे सर्व-सेव्याय धीमहि। शिव-शक्ति-स्वरूपेण पितृ-देव प्रचोदयात्।
ओम् देवताभ्य: पितृभ्यश्च महायोगिभ्य एव च। नम: स्वाहायै स्वधायै नित्यमेव नमो नम:।
ॐ पितृ दैवतायै नमः।
ओम आगच्छन्तु में पितर एवं ग्रहन्तु जलान्जलिम
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
