Margashirsha Amas 2022(Dos and Donts): આજે માર્ગશીર્ષ અમાસ, જાણો શું કરવુ અને શું ના કરવુ જોઈએ?
આજે માર્ગશીર્ષ મહિનાની અમાસનો દિવસ છે. આ દિવસે કરેલા કાર્યોથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જાણો આજના દિવસે શું કરવુ અને શું ના કરવુ જોઈએ?
Margashirsha Amas 2022(Dos and Donts): આજે માર્ગશીર્ષ મહિનાની અમાસનો દિવસ છે. આ દિવસે કરેલા કાર્યોથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વળી, આજનો દિવસ પિતૃઓને પ્રસન્ન કરવાનો પણ દિવસ છે. માર્ગશીર્ષ અમાસને અગહન અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરે છે અને કેટલીક જગ્યાએ લોકો બ્રાહ્મણોને ભોજન પણ કરાવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓનુ શ્રાદ્ધ કરવાથી તેમને મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આજે અમાસની તિથિ સવારે 6:53થી શરૂ થઈ છે, જે 24 નવેમ્બરના રોજ સવારે 4:26 કલાકે સમાપ્ત થશે.
જો કે, આ દિવસે ભૂત અને પિશાચ જેવી શક્તિઓ પણ ખૂબ જ સક્રિય હોય છે અને તેના કારણે આજે કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. જો તમારે પિતૃ દોષથી મુક્ત થવુ હોય તો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને જો આ શક્ય ન હોય તો સ્નાન કરતી વખતે તમારી ડોલના પાણીમાં ગંગાજળના બે-ચાર ટીપાં નાખી દો. સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તમારા પૂર્વજોને યાદ કરો, પીપળના ઝાડને જળ ચઢાવો અને દીવો કરો. પીપળના વૃક્ષનુ આ દિવસે ઘણુ મહત્વ છે. આમ કરવાથી વ્યક્તિ પિતૃ દોષથી મુક્ત થઈ જાય છે.
આજના દિવસે શું ન કરવુ
- આજે દારૂ ન પીવો.
- આજે માંસાહારી ખોરાક ન ખાવો.
- આજે ઝઘડવુ નહિ.
- આ દિવસે તકરાર, ચર્ચા કે નિંદાનો ભાગ ન બનો.
- બ્રહ્મચર્યનુ પાલન કરો.
- સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો.
- ગરીબોને દાન કરો.
- બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો.
- પિતૃ કવચનો પાઠ કરો.
- સ્મશાનમાં ન જશો.
- તુલસી પાસે દીવો જરૂર કરો.
આ મંત્રોનો જાપ કરો, નહિ થાય ધનની કમી
ॐ
पितृगणाय
विद्महे
जगत
धारिणी
धीमहि
तन्नो
पितृो
प्रचोदयात्।
ॐ
आद्य-भूताय
विद्महे
सर्व-सेव्याय
धीमहि।
शिव-शक्ति-स्वरूपेण
पितृ-देव
प्रचोदयात्।
ओम्
देवताभ्य:
पितृभ्यश्च
महायोगिभ्य
एव
च।
नम:
स्वाहायै
स्वधायै
नित्यमेव
नमो
नम:।
ॐ
पितृ
दैवतायै
नमः।
ओम
आगच्छन्तु
में
पितर
एवं
ग्रहन्तु
जलान्जलिम