Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધ્યાન/આધ્યાત્મિક સાધના માટે શું હોવા જોઈએ નિયમ?

આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓ માટે સ્વામી શિવાનંદજીએ કેટલાક નિયમો આપ્યા છે. આવો જાણીએ આ નિયમો.

Dhyanna Niyam: આજની ફાસ્ટ લાઈફમાં માણસ ખૂબ જ પરેશાન છે. તે સફળતા મેળવવા માંગે છે પરંતુ તે મેળવી શકતો નથી. બધી સમસ્યાઓનુ મૂળ અજ્ઞાનતા, અવિદ્યા. અજ્ઞાનને દૂર કરવામાં આધ્યાત્મિક સાધનાઓ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ જો તમારે આધ્યાત્મિક અભ્યાસના માર્ગ પર ચાલવુ હોય તો કોઈ ગુરુનુ માર્ગદર્શન લો. આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓ માટે સ્વામી શિવાનંદજીએ કેટલાક નિયમો આપ્યા છે.

meditation
  • બ્રહ્મમુહૂર્ત જાગરણઃ સવારે 4 વાગ્યાનો સમય બ્રહ્મમુહૂર્તનો હોય છે. ચાર વાગે જાગીને આધ્યાત્મિક અભ્યાસ શરૂ કરો.
  • આસન: જપ અને ધ્યાન માટે અડધો કલાક પદ્માસન, સિદ્ધાસન, સુખાસન પર પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસો.
  • મંત્રનો જાપઃ તમારી રુચિ અથવા સ્વભાવ પ્રમાણે, કોઈપણ મંત્ર ઓમ, ઓમ નમો નારાયણાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરેનો દરરોજ 1 માળાથી લઈને 200 માળાનો જાપ કરો.
  • આહાર સંયમ: શુદ્ધ સાત્વિક આહાર લેવો. મરચુ, ખટાશ, લસણ, ડુંગળી, તેલ, સરસિયુ, હિંગ ટાળો. વર્ષમાં એકવાર એક પખવાડિયા માટે તમને સૌથી વધુ ગમતી વસ્તુ છોડી દો.
  • મેડિટેશન રૂમ: મેડિટેશન રૂમ અલગ હોવો જોઈએ. જ્યારે તમે રૂમની બહાર હોવ ત્યારે તેને લૉક મારીને રાખો.
  • દાન: દર મહિને અથવા દરરોજ તમારી ક્ષમતા અનુસાર દાન કરો.
  • સ્વ-અધ્યયન: ગીતા, રામાયણ, ભાગવત, વિષ્ણુ સહસ્ત્રનામ, ઉપનિષદ વગેરે જેવા ધાર્મિક ગ્રંથોનો નિયમિત સ્વ-અભ્યાસ કરો.
  • બ્રહ્મચર્યઃ વીર્યનુ ખૂબ જ કાળજીપૂર્વક રક્ષણ કરો. વીર્ય એ વિભૂતિ છે.
  • સ્તોત્ર પઠન: જાપ અથવા ધ્યાન શરૂ કરતા પહેલા પ્રાર્થનાના કેટલાક શ્લોકો અથવા સ્તોત્રોનો પાઠ કરો.
  • સત્સંગઃ નિરંતર સત્સંગ કરો. ખરાબ સંગ, ધૂમ્રપાન, માંસ, દારૂ વગેરેનુ સેવન ન કરો.
  • વ્રતઃ એકાદશીનુ વ્રત રાખો. તે દિવસે ફક્ત દૂધ અથવા ફળો પર જ રહો.
  • જપમાળા: તમારા ગળામાં જપમાલા પહેરો અથવા તેને તમારા ખિસ્સામાં રાખો. રાતે તેને તકિયા નીચે રાખો.
  • મૌન: દરરોજ થોડા કલાકો માટે મૌન રહો. વાણી સંયમ: દરેક પરિસ્થિતિમાં સત્ય બોલો. ઓછુ બોલો મીઠી વાત કરો અપિરગ્રહ: તમારી જરૂરિયાતો ઓછી કરો.
  • હિંસા ટાળો: ક્યારેય કોઈને દુઃખ ન આપો. પ્રેમ અને દયાથી ગુસ્સા પર નિયંત્રણ રાખો.
  • આત્મનિર્ભરતા: નોકર પર આધાર રાખશો નહિ. તમારુ કામ જાતે કરો.
  • આધ્યાત્મિક ડાયરી: રાત્રે સૂતા પહેલા, તમારી દિવસની ભૂલો પર વિચાર કરો.
  • ફરજ પરિપૂર્ણતા: મૃત્યુ દરેક ક્ષણે તમારી રાહ જોઈ રહ્યુ છે. તમારી ફરજો નિભાવવામાં નિષ્ફળ ન થાઓ.
  • ઈશ ચિંતન: સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલા ભગવાનનુ ચિંતન કરો.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X