શુભ નોરતામાં વાહનની ખરીદી કરવી છે તો કરો આ ઉપાય.
નવરાત્રીના દિવસોમાં પ્રકૃતિમાંથી અસીમ ઉર્જાનો પ્રવાહ થાય છે. આ દિવસોમાં જો તમે કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છો છો તો બ્રાહ્મણથી મુરત જોવડાવવાની કોઈ જ જરૂર નથી. નવરાત્રીના દિવસોમાં લગભગ બધાજ લોકો માં દુર્ગાની
પુજા-અર્ચના કરી મનોકામના પુરી થાય તેની પ્રાર્થના કરે છે.
જો તમે પણ ઈચ્છો છો કે નવરાત્રીમાં તમને વાહનની પ્રાપ્તિ થાય તો તે માટે તમારે આ મુજબના ઉપાયો કરવા પડશે..

- અંબેમાં સિંહની સવારી કરે છે, માટે અંબેમાંની પુજા અર્ચના કરવા સાથે તેના સિંહની પણ પુજા કરો.
- મનોકામના પુરી થાય તે માટે દરરોજ નવ દિવસ સુધી એક નારિયળ પાણીમાં પ્રવાહિત કરો.
- પુજા સ્થળે દક્ષિણ સ્થાનમાં શંખમાં જળ ભરી તેનુ નિત્ય પુજન કરો.
- સક્ન્દમાતાની વિશેષ આરાધના કરવી જોઈએ જેથી વાહનની પ્રાપ્તિ થાય. કારણકે, આ દેવીની ચારભુજાઓ હોય છે. તેમના ખોળામાં આ દેવીની ચાર ભુજાઓ છે. તેમના ખોળામાં સ્કંદ છે, નીચેની ભુજામાં કમળ પુષ્પ છે, ડાબીબાજુની ભુજામાં વરમુદ્રામાં છે. તેમની ઉપાસના કરવાથી ઈચ્છા પુર્તિ થાય છે.
- निम्न ''सिंहासनगता नित्यं पद्याश्रितकरद्वया। शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी।। મંત્રની રોજ બે માળા કરવાથી મનોકામના પુરી થાય છે.
- નવમાં દિવસે માતા સિધ્ધિદાત્રીની આરાધના કરવાથી ઈચ્છા પુર્તિ થાય છે.
- નવ દિવસો સુધી નવ વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને મીઠુ ભોજન કરાવવાથી વાહનની પ્રાપ્તિ થાય છે.
- જે વાહન ઈચ્છતા હોવ તેનુ દાડમની કલમ અને લાલ ચન્દન અને કેસરની સહિ વડે ચિત્ર બનાવી લો. તેને માતાની સમક્ષ મુકી દો. આમ કરવાથી તમારી મનોકામના પુરી થશે.
- ऊं दुं दुर्गायै नमः નો જાપ કરવાથી ઈચ્છા પુર્તિ થાય છે.
- ह्रीं दुं दुर्गायै नमः ના નિત્ય નવ દિવસો સુધી બે માળા જાપ કરવાથી જોઈતુ ફળ મળે છે.












Click it and Unblock the Notifications
