For Quick Alerts
For Daily Alerts
નવરાત્રીમાં વાહન ખરીદવા ઈચ્છો છો? તો કરો આ ઉપાય
તમારી ઈચ્છાપૂર્તિ હેતુ નવરાત્રીના નવ દિવસ દરરોજ એક નાળિયેર જળમાં પ્રવાહિત કરવું.
નવરાત્રીના નવ દિવસ પ્રકૃતિથી અસીમ ઉર્જાનો પ્રવાહ વહે છે. આ દિવસો દરમિયાન કોઈપણ શુભ કામો કરવા ઈચ્છનારા લોકોએ મુહૂત દેખાડવાની જરૂર નથી પડતી. નવરાત્રીમાં મોટા ભાગના લોકો માતા અંબાનું પૂજન કરી ઈચ્છાપૂર્તિ માટે માતાને આજીજી કરે છે. તેમની વિધિવત પૂજા-અર્ચના કરે છે.
Read also:ચૈત્રી નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીના અધ્યાયોનું મહત્વ જણો!
ત્યારે જો નવરાત્રીના શુભ સમયે તમે નવું વાહન ખરીદવા ઈચ્છી રહ્યા હોવ તો અમે તમને તે માટે કેટલાક કારગર ઉપાયો જણાવીશું, જેનાથી તમારી ઈચ્છા જલ્દી જ પૂરી થઈ જશે. માતા અંબા સિંહની સવારી કરે છે, પરિણામે માતાનું પૂજન કરવાની સાથે સિંહનું પણ પૂજન અર્ચન કરવું જોઈએ.
- તમારી ઈચ્છા પૂરીં થાય તે માટે દરરોજ એક નાળિયેર પાણીમાં પ્રવાહિત કરવું.
- પૂજાના સ્થાને દક્ષિણાવર્તી શંખમાં જળ રાખી દરરોજ તેની પૂજા કરવી.
- નવ દેવીઓમાં સ્કંન્દ માતાની ખાસ પૂજા કરવી જોઈએ. જેનાથી વાહન સરળતાથી પ્રાપ્ત થાય છે. કારણ કે આ માતાના ચાર હાથ છે. તેમના ખોળામાં સ્કંદ છે, નીચેના હાથમાં કમળનું ફૂલ છે. ડાબા હાથથી તેઓ આશીર્વાદ આપે છે. તેમની પૂજા કરવાથી લોકોની ઈચ્છા પૂરી થાય છે.
- निम्न ''सिंहासनगता नित्यं पद्याश्रितकरद्वया।
शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी।।
- ઉપરોક્ત આ મંત્રની નિયમિત ઓછામાં ઓછી બે માળા રોજ કરવી, જેનાથી તમને જોઈતું ફળ મળી રહે.
- નવ દિવસ માતા સિધ્ધિદાત્રીની આરાધના કરવાથી ઈચ્છાપૂર્તિ થાય છે.
- નવ દિવસ સુધી દરરોજ નવ વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને મીઠુ ભોજન કરાવવાથી વાહનની પ્રાપ્તિ થાય છે.
- જે પ્રકારનું વાહન જોઈતું હોય તેની આકૃતિ દાડમની કલમ અને લાલ ચંદન અને કેસરની સહીથી બનાવી લો. ત્યારબાદ તે માતાના ચરણોમાં ધરી દો. આમ કરવાથી તમારી મનોકામના પૂરીં થાય છે.
- ऊं दुं दुर्गायै नमः નો જાપ કરવાથી તમારી ઈચ્છા પૂરી થાય છે.
- ह्रीं दुं दुर्गायै नमः નો નિત્ય નવ દિવસ સુધી બે માળા જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
English summary
Here is Full detail, If You want to Buy Car and Bike in Navratri 2017.
Story first published: Tuesday, March 28, 2017, 13:58 [IST]