Vastu Tips : હોલિકા દહન પહેલા ઘરની બહાર કરી દો આ વસ્તુઓ, નહીંતર થઇ જશો કંગાળ
Holi 2023, Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પહેલા કેટલીક વસ્તુઓ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. નહીં તો ઘરમાં આ વસ્તુઓની હાજરીથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.
Vastu Tips : આ વર્ષે 7 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવશે. જેના બીજા દિવસે 8 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર ઉજવશે. હોલિકા દહન ફાગણ સુદ પૂનમના દિવસે કરવામાં આવશે. હોળીના તહેવારને સત્યનો અસત્ય પર વિજય માટે ઉજવવામાં આવે છે. આ સાથે જીવનમાંથી નકારાત્મક દૂર કરીને સકારાત્મકતા પણ લાવે છે.
કેટલીક ભૂલોથી નારાજ થઈ શકે છે માતા લક્ષ્મી
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં હોલિકા દહન સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી દયાળુ બને છેઅને વ્યક્તિને જીવનમાં અપાર સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ મળે છે. બીજી તરફ આ દિવસે કરવામાં આવેલી કેટલીક ભૂલોથી માતા લક્ષ્મીનારાજ થઈ શકે છે.
હોલિકા દહન પહેલા ઘરની બહાર ફેંકી દો આ વસ્તુઓ
હોલિકા દહન પહેલા ઘરની સફાઈ કરવાની ખાતરી કરો. આ દરમિયાન ઘરમાં રાખેલા ફાટેલા-જૂના, તૂટેલા ચંપલ અને બુટ ઘરની બહાર ફેંકી દો. ઘરમાં આવા ખરાબ અને નકામા ફૂટવેર રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.
જો ઘરમાં જૂની તૂટેલી મૂર્તિઓ અથવા ફાટેલી તસવીરો હોય તો હોલિકા દહન પહેલા તેને ઘરની બહાર ફેંકી દો. ઘરમાં તૂટેલી મૂર્તિ રાખવાથી ખૂબ જ અશુભ ફળ મળે છે. જો ઘરમાં ભગવાનની કોઈ ખંડિત મૂર્તિ કે ચિત્ર હોય, તો તેને વહેતા પાણીમાં વહેવડાવી દો.
આવી જ રીતે, જો ઘરમાં ફાટેલા-જૂના, નકામા કપડા હોય, તો તેને જરૂરિયાતમંદોને વહેંચો. ઘરમાં બિનજરૂરી કપડાંનો ઢગલો કરીને વર્ષોસુધી તેનો ઉપયોગ ન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. એટલા માટે હોલિકા દહન પહેલા આ કપડાંને ઘરની બહાર ફેંકી દો.
હોલિકા દહન પહેલા ઘરે સાવરણી લાવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારે નવી સાવરણી ખરીદવાની જરૂર હોય, તો તમારે હોલિકા દહન પહેલા નવી સાવરણી ઘરે લાવવી જોઈએ. આવાસમયે, જૂના સાવરણીનો ઉપાય કરો. જૂની સાવરણીનું પૂજન કરો અને તેને માટીમાં દાટી દો.