Vastu Tips For Home : ઘરમાં કરો આ 5 નાના ફેરફાર, મળશે ખુશી અને વધી જશે આવક!
સુખી અને સમૃદ્ધ જીવન મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જો ઘરમાં માત્ર વાસ્તુના કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણા ફાયદાઓ મળી શકે છે.
Vastu Tips For Home : સુખી અને સમૃદ્ધ જીવન મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જો ઘરમાં માત્ર વાસ્તુના કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણા ફાયદાઓ મળી શકે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ-સમૃદ્ધિ વધે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક સરળ નિયમો વિશે.
પૂજા ઘર :
માનસિક શાંતિ, સકારાત્મકતા અને ઘરના લોકોની પ્રગતિ માટે પૂજાનું ઘર હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. કારણ કે, તેદેવતાઓનું સ્થાન છે. એ પણ ધ્યાનમાં રાખો કે, પૂજા ઘરની ઉપર અને નીચે સીડી, શૌચાલય કે રસોડું ન હોવું જોઈએ.
ઘરમાં સ્વચ્છતા જાળવો
ઘરમાં હંમેશા સાફ-સફાઈ રાખો. કારણ કે, ઘરમાં કરોળિયાના જાળા, ધૂળ અને ગંદકીને કારણે અનેક વાસ્તુ દોષ થાય છે. ઘરના બાથરૂમનેહંમેશા સાફ રાખો.
ઘરનો મુખ્ય દરવાજો :
ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સાફ હોવો જોઈએ, આ સાથે જ દરવાજા પણ સારી સ્થિતિમાં હોવા જોઈએ. તેમને ખોલતી વખતે કે બંધ કરતીવખતે કોઈ અવાજ આવતો ન હોવો જોઇએ. તેમ જ તેમનો રંગ ઉખડેલો હોવો જોઈએ નહીં.
સવારે અને સાંજે કપૂર પ્રગટાવો :
સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવવાથી અનેક વાસ્તુ દોષોનો નાશ થાય છે. તો આ ઉપાય રોજ કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા અનેસુખ-સમૃદ્ધિ આવે છે.
સુવાની દિશા :
તમારા પગ દક્ષિણ તરફ રાખીને ક્યારેય ન સૂવું. આમ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માથું દક્ષિણ દિશા તરફ રાખવું સારુંરહેશે.