Shukra Gochar 2023: શુક્રનુ ઉચ્ચ રાશિ મીનમાં ગોચર 15 ફેબ્રુઆરીથી, પ્રેમમાં મળશે સફળતા, દાંપત્ય હશે સુખદ
15 ફેબ્રુઆરી, 2023ના રોજ રાત્રે 8:01 કલાકે ગુરુની રાશિ મીન રાશિમાં શુક્ર પ્રવેશ કરશે. આવો જાણીએ દરેક રાશિ પર તેનો શું પ્રભાવ થશે.
Shukra Gochar 2023: વૈભવી જીવન, રોમાંસ અને પ્રેમનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર, બુધવાર, 15 ફેબ્રુઆરી, 2023ના રોજ રાત્રે 8:01 કલાકે ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ એ શુક્રની ઉચ્ચ રાશિ છે અને હાલમાં ગુરુ પણ મીન રાશિમાં છે. આ સ્થિતિમાં આ રાશિમાં બે ગુરુનુ મિલન સુખ, સૌભાગ્ય, વૈભવી જીવન, પ્રેમ અને રોમાંસમાં વધારો કરનાર સાબિત થશે. શુક્ર 12 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. શુક્ર અને ગુરુ 33 દિવસ સુધી એક જ રાશિમાં રહેવાથી અલગ-અલગ રાશિઓ માટે શુભ ફળ મળશે.
- મેષ: બારમા ભાવમાં ગુરુ-શુક્રના યુતિ સુખમાં વધારો કરશે. વૈભવી જીવન પાછળ ખર્ચ થશે. વર્તન સંયમિત રહેશે.
- વૃષભ: અગિયારમાં ભાવમાં શુક્રના આગમનથી આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. પ્રેમ, સંતાન, શિક્ષણ ક્ષેત્રે વિશેષ સફળતા.
- મિથુન: આજીવિકાની ચિંતા સમાપ્ત થશે. સુખ-સુવિધામાં વધારો, માતા તરફથી લાભ, વાહન-જમીન શક્ય છે.
- કર્કઃ ભાગ્યને બળ મળશે. ભાઈ-બહેનો સાથે પ્રેમ વધશે. સંપત્તિ પ્રાપ્ત થશે. લગ્નજીવન સુખદ રહેશે. પ્રેમનો વિજય થશે.
- સિંહઃ પૈસા અને વાણીનો પ્રભાવ વધશે. પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. લગ્નજીવનમાં ખુશી અને પ્રેમમાં વધારો થશે.
- કન્યાઃ જીવનસાથી સાથેનો મતભેદ દૂર થશે. પ્રેમમાં વધારો થશે. નવા ઘરેણાં, વસ્ત્રો મળશે. પૈસા આવશે.
- તુલા: આવક વધવાની સાથે ખર્ચમાં પણ વધારો થશે. શત્રુઓ શાંત રહેશે, રોગોમાં ઘટાડો થશે. પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે.
- વૃશ્ચિકઃ પ્રેમમાં વૃદ્ધિ થશે. લગ્નનું ટેન્શન દૂર થશે. સંતાનને સિદ્ધિ મળશે. પૈસા આવશે.
- ધન: સુખમાં વધારો, સ્ત્રી પક્ષ તરફથી લાભ, સંકટ દૂર થશે. નવી જમીન, વાહન મળશે. આજીવિકાનુ સંકટ દૂર થશે.
- મકર: ભાઈ-બહેન સાથે તકરાર થશે. પૈસાની તંગી રહેશે. જીવનસાથી સાથે મતભેદો વધશે. નવા કાર્યો પ્રાપ્ત થશે.
- કુંભ: સંચિત ધનમાં વધારો થશે. વાણીનો પ્રભાવ વધશે. આકર્ષણની અસર વધશે. નવા પ્રેમ સંબંધો મળશે.
- મીન: ગુરુ-શુક્રનો યુતિ ખૂબ જ શુભ છે. પ્રેમમાં વધારો થશે. આકર્ષણ વધશે. ધનલાભ, નવા કાર્યની પ્રાપ્તિ, આનંદમાં વધારો.
વ્યાપક પ્રભાવ
મીન રાશિમાં શુક્રનુ ગોચર પર્યાવરણ, પ્રકૃતિ, રાજકારણ અને વિવિધ બાબતો પર વ્યાપક અસર કરશે. સફેદ ખાદ્ય પદાર્થો, ડેરી ઉત્પાદનો, કઠોળના ભાવમાં વધારો થશે. સોનુ અને ચાંદી મોંઘા થશે. પર્યાવરણ સંતુલિત થશે. ક્યાંક ઠંડીનો પ્રકોપ જોવા મળશે.
ગોચરના દિવસે શું કરવુ
ગુરુ-શુક્રની યુતિ દરમિયાન તમામ રાશિના જાતકોએ ગુલાબજળમાં કેસરને નિયમિત રીતે ઘસીને કપાળ અને નાભિ પર 33 દિવસ સુધી તિલક લગાવવુ જોઈએ. તેનાથી ઘણો ફાયદો થશે.