Chandra Grahan 2020: આજે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, આ વાતોનું ખાસ ધ્યાન રાખો
Chandra Grahan 2020: આજે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, આ વાતોનું ખાસ ધ્યાન રાખો
નવી દિલ્હીઃ આજે રાત્રે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગશે, આ ચાર કલાકનું ગ્રહણ હશે, આપણા ધર્મમાં ગ્રહણને લઈ ઘણું બધું કહેવામાં આવ્યું છે, જો કે આ એક ખગોળીય ઘટના છે, પરંતુ ધર્મના જાણકારો કહે છે કે ગ્રહણથી પહેલું સૂતક લાગે છે, જેમાં કોઈ શુભ કામ થતુ નથી, જણાવી દઈએ કે ચંદ્ર ગ્રહણનો સૂતક ગ્રઙણથી 9 કલાક પહેલા જ લાગી જાય છે અને આ દરમિયાન કેટલીક ચીજોનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત હોય છે.
શું ના કરો
- ગ્રહણ કાળમાં ભોજન ના કરો
- ગર્ભવતી સ્ત્રીઓ બહાર ના નિકળે
- સહવાસ ના કરો, જૂઠ ના બોલો અને ઊંઘો નહિ બલકે આ દરમિયાન શિવ અને ગાયત્રીનો જાપ કરવો જોઈએ
- પૂજા સ્થળને સ્પર્શ ના કરો. માસ-મદિરાનું સેવન ના કરો. ડુંગળી-લસણ પણ ના ખાવ.
- ઝઘડા-લડાઈથી બચો. પ્રભુનુ ધ્યાન ધરો.
- ગ્રહણ કાળમાં તુલસીના છોડને અડવો ના જોઈએ બલકે દૂરથી તુલસી પાસે એક તેલનો દીપક પ્રગટાવી રાખવો જોઈએ.
શું કરવું
ગ્રહણ કાળ દરમિયાન ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ અને કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ જે નિમ્ન લિખિત છે.
- હનુમાનજીનો મંત્ર- ઓમ રામદૂતાય નમઃ
- ભગવાન વિષ્ણુનો મંત્ર- ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ
- મહાદેવનો જાપઃ ઓમ નમઃ શિવાય
- શ્રીકૃષ્ણ મંત્ર- ક્લીં કૃષ્ણાય નમઃ
- શ્રી રામનો જાપઃ સીતારામ
શું હોય ચે ચંદ્રગ્રહણ
ખોગળશાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. સાથે જ પૃથ્વીના પડછાયાથી ચંદ્રમા આંશિક રૂપે ઢંકાય જાય છે તેવી સ્થિતિને પણ ચંદ્ર ગ્રહણ માનવામાં આવી છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણોને પૃથ્વી ચંદ્ર સુધી પહોંચવા નથી દેતી. આ કારણે પૃથ્વીના તે ભાગમાં ચંદ્ર ગ્રહણ જોવા મળે છે.
ચંદ્ર ગ્રહણ 2020નો સમય
- ગ્રહણકાળ શરૂ થવાનો સમયઃ 10 જાન્યુઆરીએ રાત્રે 10.39થી
- ગ્રહણકાળનો મધ્યઃ 11 જાન્યુઆરીએ 12.39 AM
- ગ્રહણ પૂરું થવાનો સમયઃ 11 જાન્યુઆરીએ વહેલી સવારે 2.40 AM