Atal Bihari Vajpayee Death Anniversary : પોતાની હાર પર પણ હસતા હતા અટલ બિહારી વાજપેયી
આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ દિલ્હીમાં 'સદૈવ અટલ'ની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ આપી.
Atal Bihari Vajpayee Death Anniversary : આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ દિલ્હીમાં 'સદૈવ અટલ'ની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ આપી.
આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે પણ ભારતરત્ન વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

2015માં ભારત રત્ન એનાયત કરાયો
આ પ્રસંગે પ્રાર્થનાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે જાણીતું છે કે 'સદૈવ અટલ' વાજપેયીનું સ્મારક છે. વર્ષ 2018 માં આ દિવસે,વાજપેયીનું દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. વાજપેયીને2015 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

હાર પર વાજપેયીના હસવાની વાત
પૂર્વ વડાપ્રધાન અટલ જીના જીવન સાથે જોડાયેલી ઘણી જાણીતી વાતો છે. આવો જ એક કિસ્સો તે સમયનો છે, જ્યારે તે પોતાની હાર પરહસવા લાગ્યા હતા.
હા, આ વાત છે 1984 ની છે. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં વાજપેયી ગ્વાલિયર સીટ પરથી ભાજપની ટિકિટ પર ઊભા હતા.
તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર માધવરાવ સિંધિયા સાથે હતો. અટલજી આ ચૂંટણી હારી ગયા. હાર્યા પછી તે દુ:ખી થયા ન હતાપણ તેઓ ખૂબ હસ્યા હતા.

'મા-પુત્રના બળવાને રસ્તા પર આવતા અટકાવો'
જ્યારે અટલજીને આ હાસ્યનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'મને મારી હારનો અફસોસ નથી. હું ખુશ છું કે, મેં મા-દીકરાના બળવાનેરસ્તા પર આવતા અટકાવ્યો. જો હું ગ્વાલિયરથી ચૂંટણી ન લડ્યો હોત, તો રાજમાતા માધવરાવ સિંધિયા સામે ચૂંટણી લડત. હું એવું નહોતોઇચ્છતો.'

અટલજીને ધર્મપુત્ર માનતા હતા રાજમાતા
2005માં અટલજીએ ફરીથી ગ્વાલિયરની હારનો ઉલ્લેખ કર્યો. તેમણે સાહિત્ય સભામાં કહ્યું હતું કે, ગ્વાલિયરમાં મારી હાર પાછળ ઈતિહાસછુપાયેલો છે, જે મારી સાથે જતો રહેશે.
હકીકતમાં, ગ્વાલિયરના સિંધિયા ઘરાનાના રાજમાતા વિજયરાજે સિંધિયા અને અટલ બિહારીવાજપેયી જનસંઘના સમયથી સાથે રહ્યા હતા. વિજયારાજે સિંધિયા અટલજીને પોતાના ધર્મપુત્ર માનતા હતા. આનો ઉલ્લેખ કરતાંવાજપેયીએ કહ્યું હતું કે, તેઓ માતા અને પુત્ર વચ્ચે લડાઈ ઇચ્છતા નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
