Skin Care Tips : બેકાર ગણી ફેંકી ન દો કેરીની છાલ, સુંદર ત્વચા માટે કરો આ રીતે ઉપયોગ
Skin Care Tips : ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે. આ સાથે જ શરૂ થઇ ગઇ છે કેરીની સિઝન. કેરી પ્રેમીઓ ઉનાળાની રાહ આતુરતાથી જોતા હોય છે. કેરીને કાપીને કે રસ કાઢીને લોકો સ્વાદ લઇને ખાય છે. કેરી ખાધા બાદ ઘણા લોકો તેના ગોટલીનો મુખવાસ બનાવે છે, પણ તેની છાલ ફેંકી દેતા હોય છે.
આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે, આ કેરીની છાલ ફેંકી દેવાથી તમે તેના ઘણા લાભોથી વંચિત રહી જવાના છો. કારણે કે, આ કેરીની છાલનો ઉપયોગ કરીને તમે તમારી સુંદરતામાં વધારો કરી શકો છો.
તમે કેરીની છાલનો ઉપયોગ ખોરાકથી લઈને ત્વચાની સંભાળ માટે કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, કેરીની છાલ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે.
કેરીની છાલમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે તેના તેજસ્વી ગુણધર્મો માટે જાણીતું છે. ત્વચા પર કેરીની છાલનો નિયમિત ઉપયોગ ડાર્ક સ્પોટ્સ અને ડાઘ-ધબ્બા ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સાથે સાથે કેરીની છાલ ત્વચાને તેજસ્વી અને ટોન બનાવવામાં પણ મદદ કરી શકે છે.
આ ઉપરાંત કેરીની છાલમાં પણ ભેજ હોયછે, જે તેને ત્વચા માટે સમૃદ્ધ કુદરતી મોઈશ્ચરાઈઝર બનાવે છે. તે ત્વચાને હાઇડ્રેટ કરવામાં અને શુષ્કતા અને ફ્લેકી ત્વચાને રોકવામાં મદદ કરી શકે છે.
એન્ટિ એજિંગ : કેરીની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. તે અકાળ વૃદ્ધત્વને રોકવામાં અને ત્વચાને યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
એન્ટિ પિમ્પલ : કેરીની છાલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તેને ખીલની સારવારમાં અસરકારક બનાવે છે. તે ખીલ સાથે સંકળાયેલી બળતરા અને લાલાશ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
એક્સ્ફોલિએટિંગ : કેરીની છાલમાં રહેલા ઉત્સેચકો ત્વચાને હળવાશથી એક્સફોલિએટ કરવામાં, મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં અને ત્વચાને મુલાયમ અને નરમ બનાવવામાં મદદ કરી શકે છે.