Skin Care Tips : ચહેરા પર ભૂલથી પણ ન લગાવો આ વસ્તુઓ, સ્કિન થઇ જશે ખરાબ
ઘણી એવી વસ્તુઓ હોય છે, જેને ચહેરા પર લગાવવાથી સ્કિન ખરાબ થવાનું જોખમ રહે છે. આવા સમયે તમારે એ જાણી લેવું જોઇએ કે, એવી કઇ કઇ વસ્તુઓ છે, જેને તમારે ભૂલથી પણ ચહેરા પર ન લગાવવી જોઇએ.
Skin Care Tips : જો તમે ચહેરા પરના ડાઘા અને ખીલના ઉપચાર માટે જાણ્યા કે વિચાર્યા વગર કોઇ પણ વસ્તુઓ લગાવો છો, તો સાવચેત થઇ જજો. કારણ કે આનાથી તમારી સ્કિનને મોટુ નુકસાન થઇ શકે છે.
ઘણી એવી વસ્તુઓ હોય છે, જેને ચહેરા પર લગાવવાથી સ્કિન ખરાબ થવાનું જોખમ રહે છે. આવા સમયે તમારે એ જાણી લેવું જોઇએ કે, એવી કઇ કઇ વસ્તુઓ છે, જેને તમારે ભૂલથી પણ ચહેરા પર ન લગાવવી જોઇએ.
સ્કિન પર વિવિધ પ્રકારના તેલ લગાવવામાં આવતા હોય છે, પરંતુ ચહેરા પર તેલ લગાવવાનું ટાળવું જોઈએ. આનાથી તમારી ત્વચા નિસ્તેજ (ડલ) દેખાઈ શકે છે.
બેકિંગ સોડા ભૂલથી પણ ચહેરા પર ન લગાવવો જોઈએ. કારણ કે, તેનાથી ફોલ્લીઓ (ખીલ)ની સમસ્યા થઈ શકે છે.
વિટામિન સી થી ભરપૂર ફળો ચહેરાની ચમક વધારે છે, પરંતુ તે ત્વચા પર પણ અલગ અસર કરી શકે છે. ઘણા લોકો ચહેરા પર એપલ સાઇડર વિનેગર લગાવે છે, પરંતુ આવું કરવાનું ટાળવું જોઇએ.
ઘણા લોકો ચહેરા પર ચમક લાવવા માટે ઘણા મસાલાઓનો ઉપયોગ કરે છે, જેમાં હળદરનું નામ સૌથી ઉપર હોય છે, પરંતુ આવું કરવાનું ટાળો. કારણ કે, આવા ઘણા પાવડર મસાલામાં શામેલ હોય છે, જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
ઘણા લોકો ગોરા બનવા માટે ચોખાનો લોટ, ચણાનો લોટ ચહેરા પર લગાવે છે, પરંતુ તેને ચહેરા પર લગાવવાનું ટાળવું જોઈએ. આ એટલા માટે છે. કારણ કે, લોટ તમારી ત્વચાને સૂકવી શકે છે (શુષ્ક બનાવી શકે છે.).