Aditya L-1 : જાણો તમામ સેટેલાઈટને લોંચ પહેલા સોનાથી કેમ મઢવામાં આવે છે?
ભારતની અવકાશ રિસર્ચ સંસ્થા ઈસરો અવકાશમાં એક પછી એક ઝંડા ગાળી રહી છે. ચંદ્રયાન-3ની સફળતાનું સેલિબ્રેસન હજુ ચાલી રહ્યું છે ત્યારે હવે ઈસરોએ સુર્ય તરફ પોતાનું મિશન આદિત્ય એલ-1 રવાના કર્યુ છે.
આદિત્ય એલ-1 હોય કે ચંદ્રયાન-3 તમામ મિશનમાં એક વસ્તુ તમે જોઈ હશે કે સેટેલાઈટને સોનાથી કવર કરવામાં આવે છે. આમ કરવા પાછળ ખાસ કારણ છે.

સેટેલાઈટને સોનાથી કેમ મઢવામાં આવે છે?
સેટેલાઈટને સોનાથી મઢવા પાછળ એક ખાસ સાયન્સ છે. અવકાશમાં પૃથ્વીની જેમ અલગ તાપમાન નથી. અહીં જે તાપમાન સર્જાય છે તે સ્ટેરોઇડ્સ, ઉપગ્રહો અને ગ્રહોની ગતિથી સર્જાય છે. આ જ કારણ છે કે અવકાશમાં ખતરનાક રેડિયેશન જોવા મળે છે. જો માણસ આ રેડિયેશનના સંપર્કમાં આવે તો તેઓ થોડા જ સમયમાં મોતને ભેટે છે.
આ રેડિયેશનની સેટેલાઈટને પણ ખરાબ અસર થાય. આનાથી બચવા માટે તેમના પર સોનાનુ પડ લગાવવામાં આવે છે. આ સોનાનું પડ ઉપગ્રહના તાપમાનને નિયંત્રિત કરે છે અને તેને ખતરનાક રેડિયેશનથી બચાવે છે.
ખરેખર સોનું વપરાય છે?
સેટેલાઈટમાં લગાવાતુ એ લેયર સોનાનું લાગે છે પરંતુ તે વાસ્તવિક સોનુ નથી. આ એક પ્રકારનું પ્લાસ્ટિક છે, જેને પોલિમાઇડ કહેવામાં આવે છે. આના ઘણા સ્તરો ઉપગ્રહ પર ઢાંકેલા હોય છે, જેથી તે ઉપગ્રહોને અવકાશમાં રેડિયેશનથી બચાવી શકે. આ પોલિમાઇડ સ્તરને મલ્ટિ-લેયર ઇન્સ્યુલેશન કહેવામાં આવે છે. આ મલ્ટિ-લેયર ઇન્સ્યુલેશનને સામાન્ય ભાષામાં ગોલ્ડ પ્લેટિંગ પણ કહેવામાં આવે છે.
આ સેટેલાઈટને કેવી રીતે બચાવે છે?
આ ગોલ્ડ પ્લેટિંગ કોઈપણ ઉપગ્રહને રેડિયેશનથી કેવી રીતે સુરક્ષિત કરે છે તેનો જવાબ એ છે કે જ્યારે સૌર કિરણો સેટેલાઈટ તરફ આવે છે ત્યારે તે આ પ્લેટિંગ સાથે અથડાઈને પાછા ફેંકાય છે. સેટેલાઈટ આ કિરણોત્સર્ગને શોષતો નથી. આ કારણે સેટેલાઇટનું તાપમાન વધતું નથી અને તે કોઈપણ સમસ્યા વિના કામ કરતું રહે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
