સૌથી પહેલા કોના પર લાગ્યો હતો રાજદ્રોહ? જાણો પુરો ઇતિહાસ
લોકશાહી વિરોધી ગણાતા રાજદ્રોહના કાયદાને ખતમ કરવા માટે સરકારે કવાયત શરૂ કરી છે. લાંબા સમયથી વિવાદોમાં રહેલા આ કાયદાનો સરકારો દ્વારા દુરૂપયોગ કરવામાં આવતો હોવાના આરોપ લાગતા હતા. જણાવી દઈએ કે, અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલો આ કાયદો સૌથી પહેલા બાળ ગંગાધર તિલક પર લગાવાયો હતો.
રાજદ્રોહને ઈન્ડિયન પીનલ કોડની કલમ 124Aના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કાયદો 17મી સદીમાં અંગ્રેજો લાવ્યા હતા. આ કાયદો 1837માં બ્રિટિશ ઈતિહાસકાર અને રાજકારણી થોમલ મેકોલે દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે બ્રિટિશ સરકારે આ કાયદાનો ઉપયોગ સરકાર પ્રત્યે સારા વિચાર ન ધરાવતા લોકો ઉપર બેફામ રીતે કરાતો હતો.

ભારતમાંથી અંગ્રેજ સરકાર ગયા બાદ ભારતીય દંડ સંહિતામાં આ કાયદો એમ જ રાખવામાં આવ્યો હતો. જો કે તે પછી સરકાર વિરુદ્ધ બોલનારાઓ પર તેનો ઉપયોગ નહોતો કરાતો. આ કલમનો ઉપયોગ એવા લોકો સામે કરવામાં આવ્યો, જે વાણી, લેખન, હાવભાવ અથવા સંકેતો દ્વારા અથવા અન્ય કોઈપણ માધ્યમથી નફરત ફેલાવતા હોય.
આ કાયદા અનુસાર એવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાય છે જે ભારતીય કાયદા અથવા સરકારી હુકમનો તિરસ્કાર કરે છે અને લોકો અસંતોષની લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.
તમને જણાવી દઈએ કે, ભારતમાં રાજદ્રોહનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 1897માં બાલ ગંગાધર તિલક વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આ સિવાય 19 માર્ચ 1922ના રોજ મહાત્મા ગાંધી વિરુદ્ધ પણ આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાયદાનો ઉપયોગ પંડિત જવાહરલાલ નેહરુ અને ભગત સિંહ વિરુદ્ધ પણ કરવામાં આવ્યો હતો.
રાજદ્રોહ અને દેશ દ્રોહ બિલકુલ અલગ કાયદા છે. દેશદ્રોહના કાયદાનો ઉપયોગ ફક્ત તે જ લોકો વિરુદ્ધ થઈ શકે છે જે દેશ વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ હોય અથવા આતંકવાદી વિચારધારા સાથે દેશ વિરુદ્ધ કામ કરતી કોઈપણ સંસ્થા સાથે સંપર્ક ધરાવતા હોય.
યુદ્ધ અથવા સંબંધિત પ્રવૃત્તિઓમાં વિરોધી દેશનું સમર્થન કરવું પણ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે. જો આમાં દોષી સાબિત થાય તો આરોપીને આજીવન કેદની સજા થઈ શકે છે. જ્યારે રાજદ્રોહની સજા હળવી હોય છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
