જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા આ 10 તથ્ય શું તમે જાણો છો?
જમ્મુ કાશ્મીર દેશનો તે ભાગ છે જે મોટે ભાગે કાંતો તેની સુંદર કે ઠંડી માટે જાણીતો છે કાં તો પછી આતંકવાદ અને વિવાદોના લીધે. વર્ષ 2014માં થયેલ ચૂંટણીમાં અહીં સરકારનું ગઠન તો થયું પણ રાજ્ય વળી પાછું અહીં અસ્થિરતાની તરફ ચાલી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મગની મૃત્યુ બાદ લાંબા સમયથી અહીં રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે જે તેના વિકાસને રોકી રહ્યું છે.
જો કે થોડીક વાર માટે આ રાજકિય વાતો અને આતંકવાદને ભૂલી જઇએ તો જમ્મુ કાશ્મીર એક સુંદર રાજ્ય છે જેની સંસ્કૃતિ અનેક લોકોને દુનિયામાં તેની તરફ આકર્ષિત કરે છે.
ડાલ ઝીલ, ચિનારના વૃક્ષો, કંગડી અને બટર વાળી ચા અને સફરજન આવી જ કેટલીક વાતો જમ્મુ કાશ્મીરને તરફ દરેકને આકર્ષિત કરે છે. ત્યારે જમ્મુ કાશ્મીર વિષે કેટલાક અજાણ્યા તથ્યો વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

રાજ્યનો પોતાનો ઝંડો
જમ્મુ કાશ્મીરની પાસે પોતાનો ઝંડો છે જે રાજ્યમાં ધારા 370 લાગુ હોવાના કારણે થયો છે. આ લાલ રંગનો ઝંડો શ્રમિકો અને ખેડૂતોનો પ્રતીક છે. અને તેની ત્રણ પટ્ટી જમ્મી, કાશ્મીર અને લડ્ડાકને દર્શાવે છે.

શું કહે છે ઇતિહાસ
કહેવાય છે કે હાલ જ્યાં કાશ્મીર છે ત્યાં પહેલા એક મોટું તળાવ હતું. અને આ જ કારણે કાશ્મીરનો અનુવાદ કરો તો તેનો પણ પાણી સાથે સંબંધ છે.

બિહારથી વધુ કમાણી
કાશ્મીરમાં પ્રત્યેક વ્યક્તિ 9754 રૂપિયા કમાય છે. આ આંકડા વર્ષ 2014 છે જે મુજબ બિહારમાં દર વ્યક્તિ મહિને ખાલી 876 રૂપિયા જ કમાય છે.

બે રાજધાની
જમ્મુ કાશ્મીર ભારતનું એક માત્ર તેવું રાજ્ય છે જેની બે રાજધાની છે. ઠંડીની અલગ રાજધાની અને ગરમીની અલગ.

આબાદી
રાજ્યની આબાદી 16 મિલિયન છે. અને આ આંકડા 2010માં થયેલી જનગણના મુજબ છે.

રાજ્યના રાજકીય પશુ
જમ્મુ કાશ્મીરનું રાજકીય પશુ છે હાંગુલ. લાલ રંગનું આ હરણ જેવું દેખાતું પશુ કાશ્મીર સિવાય હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે.

રાજકીય પક્ષી
બ્લેક નેક્ડ ક્રેન આ રાજ્યનું રાજકીય પક્ષી છે. આ પક્ષી ભૂટાન અને તિબ્બતમાં જોવા મળે છે. અને ઠંડીના પ્રદેશોમાં જ ખાસ તે જોવા મળે છે.

કમળ અને કાશ્મીર
કાશ્મીરનું રાજકીય ફૂલ કમળ છે. જે તમને દાલ લેક પર મોટી માત્રામાં જોવા મળશે.

ચિનારના ઝાડ
ચિનાર કાશ્મીરનું રાજકીય વૃક્ષ છે. તેના સંરક્ષણ માટે સરકાર અનેક પ્રયાસો રાખ્યા છે અને બીજા શબ્દોમાં કહીએ તો આ ચિનારના વૃક્ષો જ કાશ્મીરની એક આગવી ઓળખ છે.

ભષ્ટ્રાચારમાં આગળ
જમ્મુ કાશ્મીર ભારતના તે રાજ્યમાં આવે છે જ્યાં સૌથી વધુ અને મોટી પ્રમાણમાં ભષ્ટ્રાચાર થાય છે.












Click it and Unblock the Notifications
