આ દેશમાં ઉજવાય છે નરકના દરવાજા ખુલવાનો તહેવાર, આવી રીતે થાય છે ઉજવણી!
દુનિયા વિવિધતાઓથી ભરેલી છે. વિવિધ સંસ્કૃતિના લોકો તેના તહેવારોને તેમની પોતાની રીતે ઉજવે છે. આ વૈવિધ્યતા દુનિયાને ખૂબસૂરત બનાવે છે. આજે અમે તમને આવા જ એક વૈવિધ્યસભર તહેવારની વાત કરવાના છીએ.
દુનિયા વિવિધતાઓથી ભરેલી છે. વિવિધ સંસ્કૃતિના લોકો તેના તહેવારોને તેમની પોતાની રીતે ઉજવે છે. આ વૈવિધ્યતા દુનિયાને ખૂબસૂરત બનાવે છે. આજે અમે તમને આવા જ એક વૈવિધ્યસભર તહેવારની વાત કરવાના છીએ, આ તહેવાર કંઈક અલગ જ છે. કંબોડિયામાં યોજાતો આ ઉત્સવ નરકના દરવાજા ખુલવા અને દુષ્ટ આત્માઓના મુક્તિની ઉજવણી કરે છે. તહેવારમાં 15 દિવસ માટે નરકના દરવાજા ખોલવામાં આવે છે. જેથી કરીને લોકો ભૂખ્યા ભૂતોને ભોજન કરાવી શકે.

આવી છે માન્યતા
આ કંબોડિયન તહેવારમાં ચાર પ્રકારના ભૂતોને નરકમાંથી મુક્ત કરવામાં આવતા હોવાનું કહેવાય છે. નરકના દરવાજા ખોલવામાં આવે છે અને જીવીત પરિવારોને ત્રાસ આપવા માટે ભુતોને મોકલવામાં આવે છે.

ક્યારે ઉજવણી ક્યારે થાય છે?
શરદ ઋતુમાં પચુમ બેન તહેવાર પરિવારોને તેમના પૂર્વજોનું સન્માન કરવા તેમજ કોઈપણ ભૂખ્યા આત્માને ખોરાક આપવાની મંજૂરી આપે છે. પૂર્વજોના ખ્મેર ઉત્સવ તરીકે પણ ઓળખાય છે, આ પ્રસંગ દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે ખ્મેર ચંદ્ર કેલેન્ડરના 10મા મહિના દરમિયાન 15 દિવસ માટે થાય છે.

આવી રીતે ઉજવણી કરે છે
લોકો વહેલી સવારે ઊઠીને સુર્યોદય પહેલાં વાસણો તૈયાર કરે છે. જો થોડો પણ સૂર્ય દેખાય તો મોડુ માનવામાં આવે છે. કંબોડિયન રાજધાની ફ્નોમ પેન્હના એક સાધુ ઓમ સેમ ઓલે કહ્યું કે,એવું માનવામાં આવે છે કે કેટલાક મૃતકોને તેમના પાપો માટે સજા કરવામાં આવે છે અને નરકમાં બાળવામાં આવે છે - તેઓ ખૂબ પીડાય છે અને ત્યાં ત્રાસ આપવામાં આવે છે. નરક લોકોથી દૂર છે. તે આત્માઓ સૂર્યને જોઈ શકતા નથી, તેમની પાસે પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે ખોરાક નથી.

મૃત સંબંધી સાથે સંબંધિક છે તહેવાર
કોઈનો મૃત સંબંધી સ્વર્ગમાં છે કે નરકમાં છે તે જાણવાનો કોઈ રસ્તો નથી અને તેથી કંબોડિયનો આશા રાખે છે કે અર્પણ કરીને મૃતકો માટે સારા કાર્યો કરશે અને તેઓ જે કોઈ અજાણતા દુઃખમાંથી પસાર થઈ રહ્યાં છે તે હળવા કરશે. તેથી ઉત્સવની પ્રસાદી એ આવા ઉશ્કેરાયેલા ભૂતોને શાંત કરવામાં મદદ કરવાનું એક સાધન છે.

પુર્વજોની ફિકર કરવામાં આવે છે
અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટનામાં એવું માનવામાં આવે છે કે નરકના દરવાજા ખુલી જાય છે અને ભૂખ્યા ભૂતોના ટોળાઓ જીવતા લોકોમાં ફરવા માટે મુક્ત છે. એવું માનવામાં આવે છે કે ભૂત તેમની ભૂખ સંતોષવા માટે તેમના મૃત સ્વજનો પાસેથી ખોરાકની શોધમાં કબ્રસ્તાન અને મંદિરોમાં ભટકે છે. રસોઇયા અને લેખક રોટાનાક રોસે એટલાસ ઓબ્સ્ક્યુરાને કહ્યું કે: અમે માનીએ છીએ કે નરકમાં, તેઓ ખૂબ ભૂખ્યા છે, પરંતુ જો મૃતકો જે શોધી રહ્યાં છે તે શોધી શકતા નથી તો આપણે જીવંત લોકો તેમના દ્વારા શાપિત થઈશું. આ પ્રાચીન રિવાજ, દક્ષિણપૂર્વ એશિયામાં કંબોડિયા માટે અનન્ય છે, જેમાં પરિવારો તેમના પૂર્વજોની સાત પેઢીઓને ભોજન આપે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
