સુરક્ષિત રીતે 1-2 લાખ રૂપિયા રોકવાના 4 શ્રેષ્ઠ રસ્તા
ઘણા વિકલ્પ છે, જી હાં 1થી 2 લાખ રૂપિયા સુધી તમે એમાં રોકાણ કરી શકો છો.
ઘણા વિકલ્પ છે, જી હાં 1થી 2 લાખ રૂપિયા સુધી તમે એમાં રોકાણ કરી શકો છો. જો કે તમે સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યા છો તો અમે સલાહ આપીએ છીએ કે તમારે સ્ટોક અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડથી દૂર રહેવું જોઈએ. વધુ સુરક્ષા સાથો રાકણ કરવા માટે અહીં તમને કેટલાક વિકલ્પ આપ્યા છે. જેના પર તમે વિચાર કરી શકો છો.

બજાર ફાઈનાન્સની એફડી
બજાજ ફાઈનાન્સ તમે 30થી 60 મહિના સુધી રકમ જમા કરવા પર 8.40 ટકાનું વ્યાજ આપે છે. સિનિયર સિટીઝનને 0.35 ટકા વધુ વ્યાજ મળે છે. કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછા 25 હજાર રૂપિયાનું રોકાણ કરી શકે છે. 24 થી 35 મહિના સુધી રકમ જમા કરવા પર 8.15 ટકા વ્યાજ મળી શકે છે, જે શ્રેષ્ઠ નથી. પરંતુ 12થી 35 મહિના સુધીની જમા રકમ પર માત્ર 7.60 ટકા વ્યાજ મળે છે
ડિપોઝિલને ક્રિસિલ દ્વારા FAAA રેટિંગ અપાયું છે, એટલે કે સુરક્ષા મામલે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ બજાજ ફાઈનાન્સની એફડીમાં ઓનલાઈન કે પછી દેશની જુદી જુદી 200 બ્રાંચમાં રોકાણ કરી શકાય છે.
ધ્યાન રાખો કે 5 હજાર રૂપિયા અને તેનાથી વધુની વ્યાજની રકમ પર ટીડીએસ લાગી શકે છે. તો ધ્યાનથી રોકાણ કરો

મહિન્દ્રા ફાઈનાન્સની એફડી
જો તમે મહિન્દ્રા ફાઈનાન્સની એફડીમાં ઓનલાઈન રોકાણ કરો છો તો તમને 8.75 ટકા વ્યાજ મળે છે. બીજી કોઈ AAA રેટેડ કંપની નથી જે તમને આટલું વ્યાજ આપી શકે. યાદ રાખો કે આ વિકલ્પ માત્ર ઓનલાઈન રોકાણકારો માટે છે, અને રોકાણ માટે તમારી પાસે 33 તેમજ 40 મહિનાના સમયનો વિકલ્પ છે.
33 મહિનાના ઉત્પાદન પર 9.4 ટકા અને 6 મહિનાના રોકાણ પર 9.71 ટકા વ્યાજ મળે છે. કંપની પાસે 30 મહિનાની રીતે અન્ય સમયમર્યાદા પણ છે, જ્યાં વ્યાજ દર 8.50 ટકા છે. વ્યાજ દર બેન્કોની સરખામણીમાં ઘણો સારો છે.

KTDFCની FD
આ કેરળ સરકારની સંસ્થઆ છે, જ્યાં વ્યાજ દર 1,2 અને ત્રણ વર્ષ માટે રકમ જમા કરવા પર 8.25 ટકા જેટલો છે. રસપ્રદ વાત એ છે કે વ્યાજ દર દર મહિને વધે છે એટલે ત્રણ વર્ષની કમાણી પર 9.32 અ 5 વર્ષની જમા રકમ પર 9.80 ટકા સુધી વ્યાજ મળે છે.
વ્યાજની સાથે રકમ પાછી મળવાની કેરળ સરકારની ગેરંટી છે, એટલે આ ફિક્સ ડિપોઝિટને સુરક્ષિત મનાય છે. 4 અને 5 વર્ષની જમા રકમ પર 8 ટકા કરતા થોડુ ઓછુ વ્યાજ મળ છે. જ્યારે સિનિયર સિટીઝનને આ એફડી પર 0.25 ટકા વધુ વ્યાજ મળે છે. કેરળ સરકાર સમર્થિત આ સંસ્થાની ડિપોઝિટ્સ સુરક્ષિત મનાય છે.

RBL બેન્કની FD
આરબીએલ બેન્ક 12થી 24 મહિનાના રોકાણ પર 7.75 ટકા વ્યાજ આપે છે, જેમાં 7.98 ટકા પ્રભાવી ઉત્પાદન છે. 24થી 36 મહિનાના રોકાણ પર 7.50 ટકા વ્યાજ મળે છે. ઉપર જણાવ્યા મુજબ તમે એનબીએફસીમાં વધુ વ્યાજ મેળવી શકો છો.
એટલે જો તમે એક સમયગળાને જોઈ રહ્યા છો જે બે વર્ષથી ઓછો છે, તો તે ઉત્તમ વિકલ્પ છે. બેન્કના મામલે ટીડીએસ 10 હજારથી વધુ હોય તો ટીડીએસ કપાય છે. આ ડિપોઝિટ પર પેસા લગાવી શકાય પરંતુ લાંબા સમય માટે નહીં, સાથે જ વ્યાજ દરમાં વધારા પર પણ ધ્યાન આપો.

સલાહ
અમે સલાહ આપીએ છીએ કે લાંબા સમય માટે પૈસા ન રાખો, કારણ કે અમને આશા છે કે અર્થવ્યવસ્થામાં વ્યાજ દરમાં વધારો થશે. યાદ રાખો કે જો તમારી વાર્ષિક આવક 2.5 લાખથી વધુ નથી તો તમે ફોર્મ 15 જી / 15 એચ જમા કરી શકો છો.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
