ભારતમાં ડિમેટ ખાતું ખોલાવાના 8 ફાયદા
જો તમે ભારતમાં સ્ટોક એક્સચેન્ઝના માધ્યમથી શેયર ખરીદવા અને વેચવા માંગો છો તો તમારે ડિમેટ ખાતુ ખોલાવવું જરૂરી બની જાય છે. પ્રમાણપત્રના માધ્યમથી શેયરને ખરીદ્યા કે પછી વેચવામાં આવે છે.
તો જો તમે એક નવા નિવેશક હોવ અને શેયર્સમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો સર્વપ્રથમ એક ડિમેટ એકાઉન્ટ ખોલાવો. ત્યાં ભારતમાં આવી રીતના ડિમેટ એકાઉન્ટ ખોલાવાથી તમને કેવા કેવા ફાયદા થશે તે વિષે નીચે જાણો આ રસપ્રદ અને રોચક આર્ટીકલમાં...
ચોરીની કોઇ સંભાવના
ડિમેટ એકાઉન્ટના માધ્યમથી શેયર ખરીદ્યા પછી તેની ચોરી થવાની કે લૂંટાઇ જવાની કોઇ સંભાવના જ નથી રહેતી. કારણ કે તમામ શેયર્સ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય છે. અને જોખમ ના હોવાના કારણે તે સુરક્ષિત હોય છે. અને તમે તેનો એક્સેસ ક્યાંથી પણ કરી શકો છો.
શેયરને સ્થાનાંતરિત
પહેલા શેયર્સને સ્થાનાંતરિત કરવા માટે કંપની કે રજિસ્ટ્રરને મોકલવામાં આવતા હતા. અને તેમાં ધણો લાંબો સમય પણ લાગતો અને ધણીવાર તે ખોવાઇ પણ જતા. પણ હવે તમે તેને તરત જ ટ્રાન્સફર કરી શકો છો.
કોઇ સ્ટેમ ડ્યૂટી નહીં
જ્યારે એક વાર સિક્યોરિટી ટ્રાન્સજેક્શન ટેક્સ એટલે કે પ્રતિભૂતિ વિનિમય કરનું ભુગતાન કરવામાં આવે છે તો શેયર ટ્રાન્ફર સ્ટેમ્પને ભૈતિક રૂપે ખરીદવાની જરૂર નથી. અને ના જ કોઇ પ્રમાણપત્ર જોડવું પડે છે. ડિમૈટ ખાતુ ખોલાવાથી તમે ઉપરોક્ત તમામ જજંટમાંથી મુક્ત થઇ જાવ છો.
ઓછામાં ઓછા શેયર પણ વેચી શકો છો.
પહેલા શેયર વેચવા મુશ્કેલ હતું. પણ હવે તેવું નથી. સાથે જ તમે વિષમ સંખ્યા જેમકે 33 જેવા શેયર પણ વેચી શકો છો. ડિમેટ ખાતાના કારણે તમે 1 શેયર પણ વેચી શકો છો.
નોમિનેટ કરી શકે છે
જ્યારે તમે ડિમેટ ખાતુ ખોલાવો તો વ્યક્તિગતરૂપે તમે નોમિનેટ કરી શકો છો. તેવું પહેલા કરવું સંભવ નહતું.
ફાયદા
આપકો બોન્ડ, એનસીડી, કર મુક્ત બોન્ડ જેવા અનેક અલગ અલગ ખાતા ખોલવાની જરૂરત નથી. કેટલાક ડેબ્ટ ઇસ્ટુમેન્ટ જેવા કે બેંક અને કંપની ફિક્સ ડિપોઝિટ સિવાય અનેક ઇસ્ટુમેન્ટ એકલ ડિમેટ ખાતામાં ચલાવી શકાય છે.
બોનસ અને રાઇટ શેયર્સ
જલ્દી જ બોનસ શેયરને પણ જમા કરાઇ શકાશે અને રાઇટ શેયર્સને પણ કેડિટેડ કરી શકાશે. તેમાં પ્રમાણપત્ર માટે રાહ જોવાની જરૂર નથી.
બચત
ડિમેટ ખાતું ખોલાવાથી બચત થઇ જાય છે. વળી તે સરળ પણ છે. તે તમે પોતે પણ ખોલાવી શકો છો કે પછી કોઇ એજન્ટ દ્વારા પણ ખોલાવી શકો છો. એજન્ટ દ્વારા ખોલાવતા હોવ તો ધ્યાન રાખજો કે ખાતાને લગતી તમામ માહિતી તમારી પાસે હોય.