8th Pay Commission : 8માં પગાર પંચને લઈને મહત્વના સમાચાર, આટલો વધી શકે છે પગાર
કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 8મું પગાર પંચ જલદી જ લાગુ પડી શકે છે અને તેના અમલથી સરકારી કર્મચારીઓના પગારમાં 30 થી 34 ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે.
ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, 8મા પગાર પંચના અમલીકરણથી બેસિક સેલેરી, ભથ્થાં તેમજ નિવૃત્તિ લાભોમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. અંદાજે 1.1 કરોડ લોકોને આ પગાર પંચનો લાભ મળશે, જેમાંથી 44 લાખ કર્મચારી અને 68 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે.

આ નવું પગાર ધોરણ જાન્યુઆરી 2026થી લાગુ પડી શકે છે. નોંધનીય છે કે, 2006માં લાગુ થયેલા છઠ્ઠા પગાર પંચે કર્મચારીઓના કુલ પગારમાં અંદાજે 54 ટકાનો વધારો કર્યો હતો. ત્યારબાદ, 2016માં લાગુ થયેલા 7મા પગાર પંચે બેસિક સેલેરીમાં 14.3 ટકાનો વધારो આપ્યો હતો અને કુલ પગારમાં લગભગ 23 ટકાનો વધારો થયો હતો.
નવો પગાર પંચ લાગુ પડ્યા પછી કર્મચારીઓની આવક વધશે, જે તેમના જીવનસ્તર અને ખર્ચ સંભાળવા માટે મદદરૂપ થશે. આ સાથે પેન્શનરોને પણ સીધો લાભ મળશે, જેથી તેઓના નિવૃત્ત જીવનમાં વધુ આરામદાયક સ્થિતિ ઊભી થઈ શકે.
સરકાર તરફથી હાલ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ અંદરખાને તૈયારીઓ ચાલુ હોવાની ચર્ચાઓ જોર પકડતી જાય છે.












Click it and Unblock the Notifications
