Paytm ખરીદવાની તૈયારીમાં અદાણી ગ્રુપ? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
છેલ્લા કેટલાક સમયથી Paytm સતત મુશ્કેલીમાં છે. પ્રતિબંધ મુકાયા બાદ પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશનની હાલત ખરાબ છે. હવે અહેવાલો છે કે કંપની વેચાવા જઈ રહી છે.
Paytm ની પેરન્ટ કંપની One97 Communications આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કંપની પર ઘણા નિયંત્રણો લાદ્યા છે.

હવે સમાચાર સામે આવ્યા છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી કંપનીમાં હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે.
ગૌતમ અદાણીએ Paytmમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Paytmના ફાઉન્ડર અને CEO વિજય શેખર શર્મા અમદાવાદમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા છે.
બંને વચ્ચે આ ડીલ અંગે ચર્ચા થઈ છે અને આ ડીલની અંતિમ રૂપરેખા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જો કે, Paytm દ્વારા આ રિપોર્ટને ફગાવી દેવામાં આવ્યો છે. કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું કે આ માત્ર અટકળો છે, કંપની આવી કોઈ ચર્ચામાં સામેલ નથી.
મહત્વની વાત એ છે કે અદાણી ગ્રુપ એરપોર્ટથી પોર્ટ સુધી બિઝનેસ કરે છે. આ સ્થિતિમાં, જો તે ફિનટેક માર્કેટમાં પ્રવેશ કરે છે તો તે Walmart, Google Pay, PhonePe અને Jio Financial જેવી કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરશે.
તાજેતરમાં અદાણી ગ્રુપે NDTV અને અંબુજા સિમેન્ટ સાથે ડીલ કરી છે. જો કંપની Paytm સાથે ડીલ કરે છે તો અદાણી ગ્રુપ માટે આ ત્રીજી સૌથી મોટી ડીલ હશે.












Click it and Unblock the Notifications
