વાઇબ્રન્ટ ગુજરાત : એર ઇન્ડિયા અમદાવાદ માટે વધુ 5 ફ્લાઇટ શરૂ કરશે
અમદાવાદ, 3 જાન્યુઆરી : નેશનલ એર કેરિયર એર ઇન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત 2015 - ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ અને પ્રવાસી ભારતીય દિવસના ઉપલક્ષ્યમાં દિલ્હીથી અમદાવાદની વધુ 5 ફ્લાઇટ શરૂ કરશે.
એર ઇન્ડિયા 122 સીટરનું A319 પ્લેન આ સેવામાં મુકશે. જે વિદેશી પ્રવાસીઓને એનઆરઆઇ ડે (NRI - Day) એટલે કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પ્રસંગે અને વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પ્રસંગે અમદાવાદ પહોંચવામાં મદદરૂપ બનશે.
આ વધારાની ફ્લાઇટ્સ 5 જાન્યુઆરી, 2015થી 14 જાન્યુઆરી 2015 સુધી ચલાવવામાં આવશે. આ ફ્લાઇટ્સ દિલ્હીથી 10.35am ઉપડશે અને અમદાાદ 12.05pm વાગે ઉતારશે. અમદાવાદથી રિટર્ન ફ્લાઇટ બપોરે 12.45 વાગ્યાની હશે.જે દિલ્હી બપોરે 14.15 વાગે ઉતારશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્બોબલ ઇન્વેસ્ટર સમિટ - 7 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન યોજાવાની છે. જ્યારે પ્રવાસી ભારતીય દિવસ - 13 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન યોજાશે.
આ ઇવેન્ટ્સનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. પ્રવાસી ભારતીય દિવસની મુખ્ય ઇવેન્ટ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જ્યારે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અમદાવાદ સ્થિત કાંકરિયા લેક અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે.