કંપનીઓ માટે મોટી રાહત, સરકારે દેવાળિયા કાનૂનમાં 3 મહિનાની રાહત આપી
કંપનીઓ માટે મોટી રાહત, સરકારે દેવાળિયા કાનૂનમાં 3 મહિનાની રાહત આપી
નવી દિલ્હીઃ સરકારે કોર્પોરેટ જગતને મોટી રાહત આપતાં દેવાળિયા અને ઋણશોધન અક્ષમતા કાનૂનના પ્રાવધાનોને વધુ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. કોર્પોરેટ કાર્ય મંત્રાલયે આ વિશે એક અધિસૂચના જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે આઈસીબીની કલમ 7, 9 અને 10ના પ્રાવધાનોને ક્રિયાન્વયન પર લાગેલી રોકને 25 સપ્ટેમ્બરથી ત્રણ મહિના માટે વધારી દેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું, 'આઈબીસીની કલમ 10 એ અંતર્ગત આપવામાં આવેલી શક્તિઓનો પ્રયોગ કરતા આઈબીસીની કલમ 7, 9 અને 10 પર વધુ ત્રણ મહિનાની રોક લગાવી દેવામાં આવી છે. આ બિઝનેસને બચાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાથે જ આનાથી કંપનીઓને નાણાકીય સંકટથી બહાર નિકળવાનો મોકો મળશે.'
આઈબીસીની કલમ 7 નાણાકીય કરજદાતાઓને ડિફોલ્ટર્સ વિરુદ્ધ દેવાળિયા પ્રાવધાન શરૂ કરવાનો અધિકાર આપે છે. આવી જ રીતે કલમ 9 સંચાલન ઋણદાતાઓને ડિફોલ્ટર્સ વિરુદ્ધ દેવાળિયુ પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી આપવાનો અધિકાર આપે છે. કલમ 10 ડિફૉલ્ટ કરતી કંપનીને કોર્પોરેટ દિવાળિયા પ્રક્રિયામાં જવા માટે અરજીનો અધિકાર આપે છે.












Click it and Unblock the Notifications
